બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Congress leader Lalit Kagathara praised former revenue minister Rajendra Trivedi
ADVERTISEMENT
ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીના કામકાજને લઈ કોંગ્રેસ નેતાએ તેમના વખાણ કર્યા છે.
'રાજેન્દ્ર ત્રિવેદીની મહેસૂલ વિભાગમાં સારી કામગીરી હતી'
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ રાજેન્દ્ર ત્રિવેદીના કામકાજને પાસ કરતાં કહ્યું કે રાજેન્દ્ર ત્રિવેદી ડાયરેક્ટ પ્રજાનું કામ કરતા હતા, વર્ષોના જૂનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા એક ઝાટકે કરી નાખવામાં આવ્યું હતું. ખેડૂતોના વાડાના પ્રશ્નોનું નિરાકરણ પણ રાજેન્દ્ર ત્રિવેદી લાવ્યા હતા. કગથરાએ વધુમાં કહ્યું કે નાયકની જેમ રાજેન્દ્ર ત્રિવેદી કામ કરતા હતા, આ સાથે સરકાર પર કટાક્ષ કર્યો કે ભાજપને પ્રજાના કામ કરે તેવા પ્રધાનો કે નેતા ગમતા નથી, કમલમનાં ઓર્ડરને ફોલો કરનાર પ્રધાન જ ભાજપ ને ગમે છે. ભૂતકાળમાં મહેસૂલ વિભાગમાં આવી સારી કામગીરી કોઇએ નથી કરી.
ADVERTISEMENT
શા માટે બન્ને સિનિયરો પાસેથી ખાતા પરત લેવાયા?
રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ચૂંટણીલક્ષી મહત્વની જવાબદારી સોંપવાની હોઈ શકે છે. ચૂંટણીલક્ષી મોટી જવાબદારીને કારણે બન્નેના કામના ભારણને ઘટાડાયું છે. આવતીકાલે બી.એલ સંતોષજી ગુજરાત મુલાકાતે આવવાના છે. તેમની અધ્યક્ષતામાં આગામી ચૂંટણી જવાબદારીને લઈ આવતીકાલે ચર્ચા થશે. આ દરમિયાન બંને મંત્રીઓને બેઠક બાદ ચૂંટણીલક્ષી જવાબદારી શકે છે.
ADVERTISEMENT
બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા
મહત્વનું છે કે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લઈ હર્ષ સંઘવીને સોંપવામા આવ્યું હતું. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લઈ જગદીશ પંચાલને સોંપવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રાલયનો ચાર્જ મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.