બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Confusion over Suryakumar Yadav's playing in the IPL a big blow to the Mumbai Indians team
Sports: IPL મેચ પહેલા જ હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો લાગ્યો છે.. દુનિયાના નંબર વન ટી-20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ હર્નિયા સર્જરી બાદ IPL રમી શકશે કે નહીં તેની પર અસમંજસ યથાવત છે. સૂર્યા હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના રિહૈબમાં છે. ત્યારે તેઓ મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆતની બે મેચમાં રમી શકશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચ 24 માર્ચે યોજાનાર છે. ગત વર્ષની રનરઅપ ગુજરાત ટાઇટન્સ સાથે મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચ છે. જ્યારે 27 માર્ચે સનરાઇઝર્સ હૈદ્રાબાદ સાથે બીજી મેચ યોજાનાર છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેશનલ ક્રિકેટ એકેડેમીની મેડિકલ ટીમે સૂર્યાને પહેલી બે મેચ રમવા માટે પરવાનગી આપી નથી.
ADVERTISEMENT
સૂર્યા ભારતની ટી-20ના મહત્વપૂર્ણ ખેલાડી છે. ટી-20માં સૂર્યાએ 4 શકત માર્યા છે. 60 ટી-20 મેચોમાં 171થી વધારેના સ્ટાઇક રેટ સાથે 2,141 રન બનાવ્યા છે. સાથે જ ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીત પણ સૂર્યા પર નિર્ભર છે. એટલું જ નહીં મુંબઇ ઇન્ડિયન્સની સફળતામાં પણ સૂર્ય કુમારનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. સૂર્યાનો IPL મેચમાં પણ ઉમદા રેકોર્ડ છે.. તેમનો 139 મેચોમાં 3249 રન 32.17 એવરેજ અને 143.32નો સ્ટાઇક રેટ છે. સૂર્યા છેલ્લે સાઉથ આફ્રિકા સામે રમ્યા હતા.જેમાં ટી-20માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.