ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જેઓ સીધી લડાઈ લડી રહ્યા છે અને 24 કલાક છેલ્લા કેટલાય મહિનાઓથી લડી રહી છે તે કોરોના વોરિયર્સ માટે આજે કીટ મોકલાવવામાં આવી હતી.
ફ્રંટલાઈન કોરોના વોરિયર્સને અપાશે કીટ
રાજભવનથી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન
1 લાખ ફંટલાઈન કોરોના વોરિયર્સને મળશે કીટ
રાજ્યમાં ફ્રંટલાઈન કોરોના વોરિયર્સને ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી હતી. આજે રાજ્યમાં 1 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કીટ આપવાની શરૂઆત કરાવાઈ હતી.
જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલની ઉપસ્થિતીમાં CM રૂપાણીના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી પ્રથમ CM રૂપાણીએ 10 હજાર કિટના પ્રથમ જથ્થાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. રાજ ભવન ખાતેથી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 180 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 572 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે.
જામનગર જિલ્લામાં 18 દર્દીઓના મોત
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં 180 દર્દીઓના મોત થયાં હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25 દર્દીઓના મૃત્યું થયાં હતા. જો કે, સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં 18 દર્દીઓના મોત થતાં હડકંપ મચ્યો હતો.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 511 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,19,22,841 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,19,22,841 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5258 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1836 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 356 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 221 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 607 કેસ અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...