બ્રેકિંગ ન્યુઝ
VTV / children orphaned due to corona will get monthly allowance and rs 10 lakh
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ ઘોષણા મોદી સરકારના 7 વર્ષ પૂરા થયાની પૂર્વસંધ્યાએ કરવામાં આવી છે. જે બાળકોએ કોરોના મહામારીમાં પોતાના માતાપિતાને ગુમાવ્યા છે તેઓને 18 વર્ષની વયે માસિક ભથ્થું આપવામાં આવશે.
18 વર્ષ બાદ સ્ટાઈપેન્ડ આપશે સરકાર
ADVERTISEMENT
પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા સરકારની સાથે સરકાર ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.
ADVERTISEMENT
5 લાખ રૂપિયાનો આરોગ્ય વિમો પણ સરકાર આપશે
કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા બાળકો માટે મફત શિક્ષણની ખાતરી કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન લેવામાં સહાય કરવામાં આવશે અને પીએમ કેયર્સ લોન પર વ્યાજ ચૂકવશે. આયુષ્માન ભારત હેઠળ બાળકોને 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ પીએમ કેયર્સ દ્વારા ચૂકવશે.
ADVERTISEMENT
PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જણાવ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધુ જ કરી છૂટવા તૈયાર છીએ. એક સમાજના રૂપમાં આ અમારું કર્તવ્ય છે કે, અમે બાળકોનું સારસંભાળ રાખીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.