કોરોના સંકટની અને વધતી મોંઘવારીની વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી ગીફ્ટ અપાઈ છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું (DA) 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર
DAમાં 11 ટકાનો કરાયો વધારો
કેબિનેટ બેઠકમાં મોદી સરકારે લીધો નિર્ણય
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.
સપ્ટેમ્બરથી આવશે બમ્પર સેલેરી
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.
11 ટકાનો વધારો
આજે લગબગ દોઢ વર્ષ બાદ વર્ચ્યુઅલ નહીં પરંતુ પ્રત્યક્ષ મોદી કેબિનેટ મીટિંગ મળી હતી જેમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં સીધો 11 ટકાનો વધારો કરાયો હતો જે હવે વધીને 28 ટકા થયો છે. આ મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઈથી કર્મચારીઓને મળશે.
ત્રણ વાગે કેબિનેટના નિર્ણયો પર બ્રીફિંગ
કેબિનેટ વિસ્તરણ બાદ મોદી કેબિટની આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની પ્રેસ બ્રીફિંગ કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે મીટિંગમાં લેવાયેલા તમામ નિર્ણયોની જાણકારી આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ કેબિનેટ મીટિંગ બાદ સાંજે ચાર વાગ્યે PM મોદી પોતાના મંત્રીમંડળના સાથીઓ સાથે પણ ચર્ચા કરશે.