ગુજરાતના ઉદ્યોગપતિ Savji Dholakia એ એકસાથે 31 લોકોને કાયમ માટે વ્યસન છોડાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો વ્યસન છોડશે તેમના વતી તેઓ કુળદેવીના મંદિરમાં દાન કરશે.
ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે છે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદીર
કુળદેવીના મંદિર નિર્માણ માટે વ્યસન છોડનારના નામે સવજીભાઈએ કર્યું દાન
31 લોકોના નામે 51-51 હજાર એમ મળી 15.50 લાખ દાનમાં આપ્યા
કુળદેવીના મંદિરના નિર્માણ માટે એક સ્નેહમિલન
ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને લઈ એક સરાહનીય સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં સવજી ધોળકિયાના વતનમાં કુળદેવીના મંદિરના નિર્માણ માટે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવજી ધોળકિયાએ વ્યસન છોડનારનાં નામથી 51 હજારનું દાન કરી સામાજિક સેવા અને વ્યસન મુક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડ્યા
ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે. જ્યાં ભાલ ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું. સાવજીભાઈએ જાહેર મંચ પરથી કહ્યું કે, અહીં બેઠેલા લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય અને તેઓ વ્યસન છોડવા તૈયાર હશે હું તેમના નામથી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. 51 હજાર દાન કરીશ. જેથી 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાની તૈયારી દર્શાવતા સવજી ધોળકિયાએ રૂ. 15.50 લાખ દાનમાં આપ્યા હતા.
“आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्”
निरोगी होना परम भाग्य है और स्वास्थ्य से अन्य सभी कार्य सिद्ध होते हैं। स्वास्थ्य से बड़ा कोई धन नहीं। स्वास्थ्य है तो सबकुछ है। स्वस्थ शरीर में ही स्वस्थ मस्तिष्क का वास होता है।
મંદિરનો જીર્ણોદ્ધાર અને 2 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનશે
ધોળકિયા પરિવારના કુળદેવીના મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવાશે. આ કામ માટે પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા સવજીભાઈ ધોળકીયાએ દાન કરવાની અલગ રીત મૂકી એકસાથે બે કામ થઈ શકે તેવી પ્રપોઝલ મૂકી હતી. વિશ્વ તમાકુ વિરોધી દિવસ પર આવ્યો વિચાર
સમગ્ર મામલે સવજીભાઈએ જણાવ્યું હતું કે, જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી મને આ વિચાર આવ્યો. 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ કરતા મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો હતો. અમારા કુળદેવીનું મંદિર નિર્માણ થતું હોય તેમાં અમારે અમારી રીતે આર્થિક સહયોગ તો આપવાનો જ હોય.