બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / શેરબજારમાંથી રળી લો! આ ખાસ દિવસે રોકાણથી સમૃદ્ધિ સાથે મોટો લાભ, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય
Last Updated: 10:30 AM, 13 October 2025
શું શેરબજારમાં એવો કોઈ દિવસ છે કે જે દિવસે રોકાણ કરવાથી નુકશાન નહીં પરંતુ લાભ જ લાભ થાય? સામાન્ય રીતે શેરબજારમાં મિનિટે-મિનિટે વધઘટ થતી રહેતી હોય છે પરંતુ હવે શેરબજારના એક નિષ્ણાંતે એક ખાસ દિવસ ગણાવ્યો છે કે જે દિવસે રોકાણ કરવું ઘણું શુભ છે.
ADVERTISEMENT
કયા દિવસે રોકાણ કરવાથી ખાસ લાભ
શેરબજાર અને કોમોડિટીઝના નિષ્ણાત અજય કેડિયાએ એક નિશ્ચિત દિવસે શેરબજારમાં રોકાણ કરવાના ફાયદા ગણાવ્યાં છે. કેડિયાના માનવા પ્રમાણે, દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સમૃદ્ધિ સાથેના લાભો મળી શકે છે. આ દિવસે કરવામાં આવેલા રોકાણો આગામી નાણાકીય વર્ષમાં સમૃદ્ધિ અને નફો લાવી શકે છે. આનાથી રોકાણકારોનો માનસિક આત્મવિશ્વાસ વધે છે. તે ઉપરાંત આ દિવસે બજારમાં ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા હોય છે, જે વ્યવસાયને સ્થિર અને ઉત્સાહી બનાવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : સફેદ પાણીમાં નાખ્યો કાળો કાગળ અને બની ગઈ 500ની નોટ, ચોંકાવનારું સામે આવતાં દેશમાં ચકચાર
શું જોખમ?
ADVERTISEMENT
લાભની સાથે મુહૂર્ત ટ્રેડિંગનું એક જોખમ પણ છે. ટ્રેડિંગ ફક્ત એક કલાક માટે થાય છે, તેથી બજારમાં અસ્થિરતા વધારે હોઈ શકે છે, અને પ્રવાહિતા મર્યાદિત હોઈ શકે છે, જેના કારણે ટ્રેડિંગ મુશ્કેલ બને છે. આ પ્રથાને કારણે, રોકાણકારો જોયા જાણ્યા વગર રોકાણ કરે છે તેથી નુકશાન પણ થઈ શકે છે. ઐતિહાસિક રીતે, એવું જોવા મળ્યું છે કે મુહૂર્ત ટ્રેડિંગ પછી, બજાર અથવા કેટલાક શેર ઘણીવાર ઘટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.