બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવેથી આ કામ માટે ડૉક્યુમેન્ટ્સ બીજીવાર જમા નહીં કરવા પડે! RBIએ KYC નિયમોમાં કર્યો ફેરફારનો પ્રસ્તાવ

કામની વાત / હવેથી આ કામ માટે ડૉક્યુમેન્ટ્સ બીજીવાર જમા નહીં કરવા પડે! RBIએ KYC નિયમોમાં કર્યો ફેરફારનો પ્રસ્તાવ

Last Updated: 12:40 PM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI દ્વારા KYC ને લઇ નવા પ્રસ્તાવ રજૂ કર્યા છે. RBIએ આ પ્રસ્તાવિત નિયમ પર જનતા પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તેના KYC માર્ગદર્શિકામાં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. જેનો હેતુ નવા ગ્રાહકો ઉમેરવા અને ઓળખ દસ્તાવેજો અપડેટ કરવાની પ્રોસેસને સરળ બનાવવાનો છે. આ પહેલ કસ્ટમરના પ્રતિસાદના આધારે સીધી રીતે લેવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) ના કાર્યને ઈઝી બનાવવાનો છે.

  • ગ્રાહક સુવિધાને પ્રાથમિકતા
    પ્રસ્તાવિત નિયમોનું ફોકસ ગ્રાહક સુવિધા પર છે. હવે નિયમિત KYC અપડેટ્સ માટે ગ્રાહકો એક આસાન સેલ્ફ ડીક્લેરેશન કરી શકશે, જેમાં પુષ્ટિ કરવામાં આવશે કે તેમની વિગતોમાં કોઈ ફેરફાર થયો નથી અથવા ફક્ત તેમનું સરનામું અપડેટ કરવામાં આવ્યું છે. આ ઘોષણા રજિસ્ટર્ડ ઇમેઇલ, મોબાઇલ નંબર, એટીએમ અને ઓનલાઈન બેંકિંગ એપ્સ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા સબમિટ કરી શકાશે.
  • વારંવાર દસ્તાવેજો ન માંગવાનો હેતુ

આ પગલું RBI ગવર્નર સંજય મલ્હોત્રાના તે વિઝનને અનુરૂપ છે જેમાં વારંવાર એક જ દસ્તાવેજ માંગવાની પ્રથાને દૂર કરવા પર જોર છે. તેમને માર્ચમાં જણાવ્યુંહતું કે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે એકવાર ગ્રાહકે નાણાકીય સંસ્થાને દસ્તાવેજો આપ્યા બાદ તે જ દસ્તાવેજ ફરીથી માંગવામાં ન આવે.

app promo6
  • KYC અપડેટની સુવિધામાં વૃદ્ધિ

RBI હવે ગ્રાહકોને તે પરમિશન આપશે કે ગ્રાહક પોતાના કોઈ પણ બેક બ્રાન્ચમાં કે સંસ્થાના ઓફિસ પર જઈને KYC અપડેટ કરાવી શકશે, જ્યાં તેમનું એકાઉન્ટ હોય. સાથે જ આધાર OTP-આધારિત e-KYC અને વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા (V-CIP) ને પણ અપડેટ માટે સ્વીકારવામાં આવશે, જેનાથી ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે.

  • સરનામાં અપડેટ માટે સ્વ-ઘોષણાની મંજૂરી

નવા નિયમો હેઠળ જે ગ્રાહકોએ આધાર નિયમ હેઠળ જે ગ્રાહકોને આધાર બાયોમેટ્રિક ઈ-કેવાયસી દ્વારા રૂબરૂ ઓનબોર્ડિંગ કરાવ્યું છે, તેઓ જો તેમનું વર્તમાન સરનામું UIDAI ડેટાબેઝમાં નોંધાયેલા સરનામાથી અલગ હોય તો સેલ્ફ ડીક્લેરેશન આપી શકશે. પણ અન ફેસ ટુ ફેસ ઓનબોર્ડિંગવાળા ખાતાઓમાં કડક નિરીક્ષણ કરવામાં આવશે અને એક વર્ષની અંદર સંપૂર્ણ ચકાસણી જરૂરી રહેશે.

વધુ વાંચો : ભારત સરકાર માટે સંકટ મોચક છે RBI, જાણો કેવી રીતે કરે છે લાખો કરોડ રૂપિયાની કમાણી

  • ફરિયાદોનું નિરાકરણ અને જનતા પાસેથી સૂચનો આમંત્રણ

આ ફેરફારો ખાસ કરીને તે ફરિયાદોનું સમાધાન કરવા માટે છે જે નિયમિત KYC અપડેટ પ્રોસેસમાં મુશ્કેલીઓ અને સરકારી યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ખાતાઓમાં વિલંબને કારણે ઊભી થઈ છે. RBIએ આ પ્રસ્તાવિત નિયમો પર જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે જેથી તેમને અંતિમ સ્વરૂપ આપી શકાય. સામાન્ય લોકો 6 જૂન સુધી દરખાસ્તો પર પોતાના સૂચનો આપી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KYC DBT RBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ