બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 26 રાજ્યોના પ્રમુખ બિઝનેસ નેતાઓએ પાકિસ્તાનને આપ્યો આર્થિક ફટકો, જાણો કઇ રીતે

બિઝનેસ / 26 રાજ્યોના પ્રમુખ બિઝનેસ નેતાઓએ પાકિસ્તાનને આપ્યો આર્થિક ફટકો, જાણો કઇ રીતે

Last Updated: 08:16 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવતા પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓનો દેશ નિકાલ કરવાની, સિંધુ જળ વિધિ રદ કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરી છે. તો બીજી તરફ ભારતે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પણ આકરો હુમલો કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા છે.

CAIT Indo-Pak Trade: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવતા પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓનો દેશ નિકાલ કરવાની, સિંધુ જળ વિધિ રદ કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરી છે. તો બીજી તરફ ભારતે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પણ આકરો હુમલો કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા છે.

26 રાજ્યોએ પાકિસ્તાન સાથે કર્યો આર્થિક વ્યવહાર બંધ

CAIT આગેવાની હેઠળ ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર સંબંધો બંધ કરવાનો નિર્ણય લેવાયો. દેશના 26 રાજ્યોના 200થી વધુ મુખ્ય બિઝનેસ લીડરોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે હુમલા અંગે રોષ વ્યક્ત કરીને પાકિસ્તાનને આર્થિક રીતે તોડી પાડવાનો પણ નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર

CAITના મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે "બેઠકમાં પહેલગામ હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. સાથે જ પાકિસ્તાન સાથેના તમામ વેપારી સંબંધોને તમામ રીતે બંધ તોડી નાખવાનો અને અને તેનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ દરેકની સંમતિથી પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં હુમલામાં સામેલ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવાની કેન્દ્ર સરકારને વિનંતી પણ કરી છે.

વધુ વાંચો: BCCI ફરી એક્શનમાં, રિષભ પંતને ફટકાર્યો રૂ. 24 લાખનો દંડ, જાણો શું હતો સમગ્ર મામલો

પાકિસ્તાનને 500 મિલિયન ડોલરનો ફટકો

વર્ષ 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વણસ્યા હતા. અને તેના લીધે દ્વિપક્ષીય વેપારમાં ભારે ઘટાડો થયો છે. CAITના ડેટા મુજબ 2018માં બંને દેશો વચ્ચે ત્રણ બિલિયન ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થતો હતો. જે 2024 સુધીમાં ઘટીને લગભગ 1.2 બિલિયન ડૉલર પર પહોંચી ગયો. જ્યારે એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ભારતે પાકિસ્તાનને લગભગ 500 મિલિયન ડૉલરની કિંમતના સામાનની નિકાસ કરી હતી. જેમાં મુખ્યત્વે મેડિસિન, કેમિકલ્સ, સુગર અને ઑટો પાર્ટ્સ સામેલ હતા. જ્યારે પાકિસ્તાન દ્વારા 0.42 મિલિયન ડૉલરની આયાત થઈ હતી. સીએઆઈટીના નિવેદન અનુસાર હવે વેપારીઓએ આ વેપારને સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indo-Pak Trade Business CAIT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ