બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:24 PM, 26 August 2025
15 ઓગસ્ટે લાલ કિલ્લેથી PM મોદીએ પોતાના સંબોધનમાં જીએસટીમાં ઘટાડાનો સંકેત આપ્યો હતો. સરકાર હાલના ચાર સ્લેબ 5%, 12%, 18% અને 28% ને ઘટાડી માત્ર બે સ્લેબ 5% અને 18% રાખવાની તૈયારી કરી રહી છે. 3-4 સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ખાસ કરીને ખાદ્યપદાર્થો અને ટેક્સટાઈલ પર 5% ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ ચર્ચાશે. જો આ નિર્ણય પસાર થશે તો સામાન્ય ગ્રાહકોને સસ્તા ભાવે સામાન મળશે તેમજ વેપારીઓ માટે ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલમાં સિમેન્ટ પર 28% ટેક્સ વસૂલ થાય છે, જે અત્યંત ઊંચો ગણાય છે. કાઉન્સિલ તેને ઘટાડીને 18% કરવાનો વિચાર કરી રહી છે. આથી ઘર કે રસ્તા જેવા બાંધકામના ખર્ચમાં સીધો ઘટાડો થશે. સેલૂન અને બ્યુટી પાર્લર પર હાલમાં લાગતો 18% ટેક્સ ઘટાડીને 5% કરવાની ચર્ચા ચાલી રહી છે. આથી આ સેવાઓ સામાન્ય વર્ગ માટે વધુ પરવડે તેવી બનશે. ઉપરાંત વ્યક્તિગત જીવન વીમા અને હેલ્થ ઇન્સ્યોરન્સ પરનો જીએસટી સંપૂર્ણપણે દૂર કરવાની યોજના પણ છે.

ADVERTISEMENT
હાલના ચાર સ્લેબને બદલે માત્ર બે જ સ્લેબ 5% અને 18% લાગુ કરવાના છે. આ ઉપરાંત લક્ઝરી કાર, સિગારેટ, દારૂ જેવી સિન ગુડ્સ પર 40% સુધી ટેક્સ વસૂલાત જાળવવાની યોજના છે.
ADVERTISEMENT
વધુ વાંચો: PF અને PPFથી કમાણી કરતા હોય તો આ બાબતો જાણી લેજો, નહીંતર ફાયદાને બદલે નુકસાન
ADVERTISEMENT
રિપોર્ટ્સ મુજબ નવી ટેક્સ વ્યવસ્થા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ તારીખ નવરાત્રિ ઉત્સવ સાથે મેળ ખાય છે, એટલે તહેવારોની ખરીદી વખતે ગ્રાહકોને સીધી રાહત મળશે. આમ ખાદ્યપદાર્થો, કપડાં, બાંધકામ સામગ્રી અને રોજિંદી સેવાઓ પર સીધી અસર પડશે અને સામાન્ય લોકોની ખિસ્સા પરનો બોજો ઘટશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.