બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bus of youth going to police training overturns near Vana village of Surendranagar
ADVERTISEMENT
Surendranagar Accident News: આજે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં બસ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT
સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસની કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
40થી વધુ લોકોને પહોંચી ઈજા
પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વણા ગામ નજીક બસ પલટી મારી જતા 40થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT

જૂનાગઢ જઈ રહી હતી ST બસ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બસમાં સવાર મુસાફરો પૈકી સૌથી વધુ પોલીસની ટ્રેનિંગ માટે જઈ રહેલા યુવક અને યુવતી બસમાં સવાર હતા. આ બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી અને વણા નજીક અકસ્માતનો ભોગ બની હતી.
ADVERTISEMENT
પાટણમાં પણ સર્જાયો અકસ્માત
પાટણના સાંતલપુર તાલુકાના સિધાડાથી બાબરા ગામના હાઇવે માર્ગ પર એસટી બસનો અકસ્માત સર્જાયો છે. એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુુમાવાત બસ પલટી મારી જતા 10થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખેડબ્રહ્માથી ગાંધીધામ રૂટની એસટી બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો સવાર હતા. હાલ 5 મુસાફરોને સંતાલપુર રેફરલ હોસ્પિટલ અને અન્ય મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.