દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને હવે વિદેશમાંથી પણ સમર્થન મળવાનું શરુ થઇ ગયું છે. દેશ અને દુનિયાના શીખ અને પંજાબી ખેડૂત આ આંદોલન સાથે જોડાઇ રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલનને પોતાનું નિવેદન આપી ચૂક્યાં છે ત્યારે હવે બ્રિટેનના કેટલાંક સાંસદોએ બ્રિટેન સરકારને ભારત સરકાર સાથે આ મુદ્દા પર વાતચીત કરવા જણાવ્યું છે.
ખેડૂત આંદોલનને હવે વિદેશમાંથી પણ સમર્થન મળવાનું શરુ
ખેડૂત આંદોલનને લઇને ભારતની મોદી સરકાર સાથે ચર્ચા કરવા
સાંસદોએ વિદેશ સચિવને લખ્યોપત્ર
બ્રિટેનના ભારતીય મૂળ અને પંજાબ સાથે સંબંધ રાખનારા 36 સાંસદોએ ખેડૂતના કાયદા પર કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા અંગે વાત કહી છે. સાંસદોએ વિદેશ સચિવ ડોમિનિક રેબેને લખ્યું છે કે તેઓ ખેડૂત આંદોલનને લઇને ભારતની મોદી સરકાર સાથે ચર્ચા કરશે.
આ પત્ર હર સહી કરનારા નેતાઓમાં લેબર, કંજરવેટિવ અને સ્કોટિશ નેશનલ પાર્ટીના પૂર્વ શ્રમ નેતા જેરેમી કૉર્બિન, વીરેંદ્ર શર્મા, સીમા મલ્હોત્રા, વેલેરી વાજ, નાદિયા વ્હિટોમ, પીટર બૉટમલી, જૉન મેકકૉલન, માર્ટિન ડૉકર્ટી-હ્યૂજેસ અને એલિસન થેવલિસ સામેલ છે.
બ્રિટિશ સાંસદોની માગ
પત્રમાં લખ્યુ છે કે આ બ્રિટેનના શીખ અને પંજાબ સાથે જોડાયેલા લોકો માટે ચિંતાનો વિષય છે. કેટલાક બ્રિટિશ શીખો અને પંજાબીઓ પોતાના સાંસદોની સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે. એવું બતાવામાં આવ્યું છે કે કેટલાક સાંસદોએ હાલમાં જ ભારતીય ઉચ્ચ આયોગને ભારતના ત્રણ કૃષિ કાયદાનો પ્રભાવ અંગે લખ્યું હતું.
પત્રમાં જાણકારી આપવામાં આવી છે કે આ કાયદો ખેડૂતોના શોષણથી બચાવા અને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય સુનિશ્ચિત કરવામાં વિફળ છે. આ સિવાય કેટલાંક બ્રિટિશ સાંસદો ટ્વિટર પર ખેડૂત આંદોલનને લઇને કેટલા ક પ્રકારની ટિપ્પણી પણ કરી હતી. બ્રિટિશ શીખોની ઓલ પાર્ટી પાર્લામેન્ટરીના અધ્યક્ષ પ્રીત કૌરે ખેડૂત આંદોલન પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરી.
બ્રિટિન સાંસદોએ કહ્યું કે આ નાગરિકોની સાથે વ્યવહાર કરવાની કોઇ રીત નથી, જે વિવાદાસ્પદ ખેડૂત બિલ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યાં છે. આ દિલ્હીના ચોંકાવનારા દ્રશ્યો છે. તેમણે કહ્યું પાણી અને ટીયરગેસ ચુપ કરાવવા માટે છોડવામાં આવી રહ્યાં છે.