બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Boycott of education in Amreli because there is only one teacher in class 4
Khyati
Last Updated: 06:04 PM, 4 August 2022
ગુજરાતમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ અને ગુણવત્તાસભર શિક્ષણ અપાતુ હોવાની વાતો કરવામાં આવે છે. શાળાઓ હાઇટેક બનાવવામાં આવે છે. ડિઝિટલ શિક્ષણ આપવામાં આવે છે તો બીજી તરફ એવી પણ શાળાઓ છે જ્યાં બાળકોને ભણવુ છે પણ ભણી શકતા નથી. કારણ કે શિક્ષકો જ નથી. બાળકોને ભણાવે કોણ ?
લિલિયાનાં પાંચ તલાવડી શાળામાં શિક્ષકોનો અભાવ
આ વાત છે અમરેલીના લિલિયાના પાંચ તલાવડા ગામની. અહીં વાલીઓ શાળાએથી બાળકોને ઘરે લઇ આવ્યા. કારણ કે ધોરણ 4ના બાળકો માટે એક જ શિક્ષક છે અને તે પણ પ્રજ્ઞાચક્ષુ. પાંચ તલાવડાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી. શાળામાં 6 શિક્ષકો છે પણ 3-4 તો અન્ય કોઇકામગીરીમાં વ્યસ્ત હોય છે જ્યારે ધોરણ 4માં તો માત્ર એક જ શિક્ષક હોવાથી શાળામાં વિદ્યાર્થીઓ જોઇએ તેવો અભ્યાસ કરી શકતા ન હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. શિક્ષકોની ઘટ વર્તાતા સરપંચ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો.
વાલીઓએ શિક્ષકોની ભરતી કરવા કરી માંગ નહી તો..
મહત્વનુ છે કે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતનો મત વિસ્તાર છે. તેમના જ મત વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર થતા ચોમેર ચર્ચાનો દોર શરૂ થયો છે. પોતાના જ મત વિસ્તારમાં શિક્ષણને લઇને આવી લાલિયાવાડી છે તો અન્ય ગામોમાં તો ખબર નહી કેવી સ્થિતિ હશે ? હાલ તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાને કારણે વાલીઓ ચાલુ શાળઆએ જ બાળકોને ઘરે લઇને આવ્યા હતા. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરી હતી. 5 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો શાળામાંથી LC કઢાવી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog