બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'તેજસ્વીને તેના પિતાના કારનામા વિશે...' BJP અધ્યક્ષ જેપી નડ્ડાના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર
Priyakant
Last Updated: 11:48 AM, 27 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેજસ્વી યાદવ ઉપર પણ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે આ બાળકને તેના પિતાના કારનામા વિશે કેવી રીતે ખબર છે, તેને કેવી રીતે ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?
ADVERTISEMENT
બિહારનાં જહાનાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે જેપી નડ્ડાએ કહ્યું કે, આ બાળક તેના પિતાના કારનામા વિશે તે કેવી રીતે જાણે ? તમે ભૂલી ગયા હશો, હું ભૂલી જવાનો નથી. 2003માં આ બિહારમાં આરજેડીની રેલી, લઠિયા રેલી થઈ હતી. ગાંધી મેદાન ખાતે તેલ પીલાવન, લાઠીયા ભજામ રેલી યોજાઈ હતી. RJDના લોકો લાકડીઓ કેમ લાવ્યા, બિહારના લોકોને ડરાવવા લાકડીઓ લાવ્યા. તમે બધા તમારા ઘરોમાં રહો. બિહારે આ જંગલરાજ જોયું છે. શિક્ષણની એવી હાલત હતી, લોકો બિહાર છોડીને દિલ્હી ભણવા ગયા.
तेजस्वी क्या जाने इसके पिता के कारनामें! अभी लालू यादव मटन बनाना सिखा रहे हैं वह भी जमीन पर नहीं हवा में!
— Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) May 26, 2024
लालू बोलते थे कि सड़क क्यों चाहिए? सड़क बन जाएगी तो पुलिस पहुंच जाएगी! और ये तेजस्वी 10लाख नौकरी देगा! इसे पहले पिता के कारनामों का पश्चाताप करना होगा। pic.twitter.com/ALDsQtkSRR
ADVERTISEMENT
આ સાથે જેપી નડ્ડાએ કહ્યું કે, રાજ્યમાં જંગલ રાજને કારણે સ્થિતિ એવી હતી કે બપોરે 3 વાગ્યા પછી કોઈ જહાનાબાદ આવતું-જતું નહોતું. ખેડૂતો ભાગી રહ્યા હતા, હત્યાઓ, અપહરણ અને ખંડણીની માંગણીઓ થઈ રહી હતી. INDIA ગઠબંધનને ઘમંડી ગઠબંધન ગણાવતા તેમણે કહ્યું કે,ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષના અડધા નેતાઓ જેલમાં છે અને અડધા જામીન પર છે. જામીન પર રહેલા તેજસ્વી યાદવ પણ જેલમાં જશે.
शाम 5 बजे के बाद नालंदा में कोई घर से बाहर नहीं निकलता था, राजद के गुंडे, लोगों की जमीन पर झंडा गाड़कर छीन लिया करते थे, अपहरण का उद्योग चलता था, फिरौती मांगी जाती थी, हत्याओं का सिलसिला चलता था!
— Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) May 26, 2024
ऐसा जंगलराज लालू यादव ने कायम कर रखा था। नितीश कुमार ने इससे बिहार को बाहर निकाला… pic.twitter.com/Omm9wW4RAM
જેપી નડ્ડાએ કહ્યું કે, દેશમાં છ તબક્કામાં ચૂંટણી થઈ છે. મને વિશ્વાસ છે કે, સાતમા તબક્કા સુધીમાં NDAને 400થી વધુ બેઠકો મળી જશે. છેલ્લા 10 વર્ષમાં મોદીજીએ માત્ર વડાપ્રધાન તરીકે જ દેશ પર શાસન નથી કર્યું પરંતુ ભારતીય રાજકારણની સંસ્કૃતિ, વ્યાખ્યા અને કાર્યશૈલી પણ બદલી નાખી છે. તમને દસ વર્ષ પહેલાંનું ભારત યાદ છે. ભારતના સામાન્ય માણસે સ્વીકાર્યું હતું કે, દેશમાં કોઈ પરિવર્તન નહીં આવે. દેશ ઉદાસીન માનસિકતા સાથે જીવી રહ્યો હતો, પરંતુ આજે 140 કરોડ દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મોદીજી સાથે આગળ વધ્યા છે. નડ્ડાએ જહાનાબાદના ગાંધી મેદાનમાં JDU ઉમેદવાર ચંડેશ્વર પ્રસાદ, શાહપુર, અરાહમાં જ્ઞાનસ્થલી સ્કૂલ કેમ્પસમાં RK સિંહ, બિહાર શરીફમાં શ્રમ કલ્યાણ કેન્દ્ર મેદાનમાં JDU ઉમેદવાર કૌશલેન્દ્ર કુમારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.