બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'લવ જેહાદ-બળજબરીથી લગ્નો પર લગામ' ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલની પ્રતિક્રિયા
Last Updated: 02:56 PM, 20 February 2026
રાજ્ય સરકાર દ્વારા લગ્નના કાયદામાં ફેરફારને ભાજપે આવકાર્યો હતો. સમાજના હિતમાં સરકારે કામ કર્યું છે. લવ જેહાદ અને બળજબરીથી થતા લગ્નો પર લગામ લાગશે. લગ્નના નામે થતી છેંતરપિંડી પર રોક લાગશે. ઘણા કેસમાં લવ મેરેજમાં લવ જેહાદ થતો હતો.
ADVERTISEMENT
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા સૂચિત સુધારા પછી રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારનો મત છે કે, પ્રેમ લગ્ન સામે કોઈ વાંધો નથી, પરંતુ ખોટી ઓળખ આપી યુવતીઓને ફસાવવાના બનાવો અટકાવવા માટે વ્યવસ્થામાં સુધારા જરૂરી છે.

ADVERTISEMENT
અત્યાર સુધીની પ્રક્રિયામાં શું ખામી હતી?
હાલ અમલમાં રહેલા નિયમો અનુસાર, લગ્ન નોંધણી વખતે વર-વધૂના દસ્તાવેજો લેવામાં આવતા હતા, પરંતુ ચકાસણી મર્યાદિત હતી. કેટલાક કિસ્સામાં બંને પક્ષની હાજરી વગર પણ નોંધણી થઈ જતી હતી. તલાટી સ્તરે જ મંજૂરી મળતી હોવાથી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થતા હતા.
ADVERTISEMENT
દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય !
— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2026
✔️લગ્ન નોંધણીમાં હવે માતા-પિતાની સહમતી અને જાણ અનિવાર્ય રહેશે.
✔️ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬ના સુધારા સામાજિક માળખાને સુરક્ષિત બનાવશે.
✔️ઓળખ છુપાવીને થતા લગ્નો, છેતરપીંડી અને બળજબરી જેવા ગુનાઓ બનતા અટકશે.… pic.twitter.com/3vvzx8n3ix
નવા સુધારાઓ શું કહે છે?
ADVERTISEMENT
સૂચિત નવા નિયમો મુજબ
ADVERTISEMENT
વધુ વાંચોઃ કચ્છના ધાણેટીમાં 4 કરોડની કિંમતનો વિદેશી દારુ ઝડપાયો, લિસ્ટેડ બુટલેગરે 2500 પેટી મગાવી હતી
માતા-પિતાની માહિતી કેમ જરૂરી?
ADVERTISEMENT
નવા નિયમો અનુસાર, લગ્ન નોંધણી વખતે છોકરીના માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઇલ નંબર લેવામાં આવશે. અરજી થતા જ તેમને સંપૂર્ણ વિગતો મોકલવામાં આવશે. 10 દિવસની અંદર માતા-પિતાને સત્તાવાર જાણ કરવી ફરજિયાત રહેશે. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થા યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની સુરક્ષા માટે બનાવવામાં આવી છે-કોઈને અનાવશ્યક રીતે પરેશાન કરવા માટે નહીં.
સાક્ષીઓ અને કોર્ટ નોંધણી અંગે નવી જોગવાઈ
દહેજ અને હેરાનગતિ સામે કડક વલણ
લગ્ન પછી દહેજ કે મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરવામાં આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. સરકારનો ઉદ્દેશ માત્ર લગ્ન નોંધણીને નિયમિત કરવાનો જ નહીં, પરંતુ લગ્ન બાદ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે.
ઓનલાઈન પોર્ટલની તૈયારી
રાજ્ય સરકાર પ્રેમ લગ્ન નોંધણી માટે અલગ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે. આથી આખી પ્રક્રિયા ટ્રેક કરી શકાય તેવી અને વધુ પારદર્શક બનશે. સૂચિત સુધારાઓ પર અંતિમ નિર્ણય લેતા પહેલા સરકાર જાહેરમાંથી વાંધા અને સૂચનો માંગશે. મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સૂચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
સ્ટેપ-1 : લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
સ્ટેપ-2 [A]: સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-। (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
સ્ટેપ-2 [B]: વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ...
— Gujarat Information (@InfoGujarat) February 20, 2026
લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ… pic.twitter.com/KpTiFyNoJP
સ્ટેપ-3 [A]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેકટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
સ્ટેપ-3 [B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારને ખાતરી થયેથી પેટા નિયમો (1 થી 7) માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ ૩૦ દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
સ્ટેપ-4 : રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.