બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:52 PM, 31 January 2022
ADVERTISEMENT
રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે બજેટમાંથી સામાન્ય જનતાને મોટી આશા છે. હકીકતમાં કોરોનાના કહેરના કારણે બગડેલી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારીને કારણે લોકો એવી આશા રાખીને બેઠા છે કે ,આ બજટેમાં સરકાર તેમને રાહત આપી શકે છે. આ જ ક્રમમાં ઈકોનોમીને ગ્રોથ બૂસ્ટર આપવા માટે બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહતની જાહેરાત થઈ શકે છે. હકીકતમાં કેટલાય વર્ષોથી ટેક્સપેયર્સ માટે કોઈ જાહેરાત થઈ નથી. જેનાથી તેમને મોટો ફાયદો થાય. ત્યારે હવે આશા બંધાઈ છે કે, આ વખતે ટેક્સમાં છૂટ આપીને સરકાર તેમને ખુશ કરી શકે છે.
ADVERTISEMENT
સરકાર આપી શકે છે મોટી ખુશખબર
ઈંડિયન બેંક એસોસિએશને સરકાર પાસેથી એવી ડિમાન્ડ રાખી છે કે, 3 વર્ષના ફિક્સ્ડ ડિપોઝીટ પર ટેક્સ છૂટને દાયરામાં લાવવી જોઈએ. જો સરકાર તરફથી તેને મંજૂરી મળી જાય છે તો, નિશ્ચિત રીતે મોટી રાહત થશે. તો આવો જાણીએ ટેક્સપેયર્સને ખુશ કરવા માટે સરકાર શું પગલા લઈ શકે છે.
FD ને ટેક્સ ફ્રી કરવાની માગ
ઈંડિયન બેંક એસોસિએશનની માગ છે કે ટેક્સ ફ્રી ફિક્સ્ડ ડિપોઝીટના લોક ઈન પીરિયડને ઓછો કરવો જોઈએ. હાલમાં 5 વર્ષની FD પર ટેક્સ છૂટ મળે છે. પણ તેને ઘટાડીને 3 વર્ષ કરવાની ડિમાન્ડ થઈ રહી છે. એસોસિએશન અનુસાર 3 વર્ષની FDને ટેક્સ છૂટના દાયરામાં લાવવાથી ટેક્સપેયર્સને બીજી પ્રોડક્ટ્સનો પણ ઓપ્શન મળશે. આ સમયે લોકો વ્યાજ દર કમ થવાના કારણે FDની જગ્યાએ PPF અથવા સુકન્યા જેવી અન્ય પ્રોડ્ક્ટ્સમાં વધારે રોકાણ કરી રહ્યા છે. તો વળી રિસ્ક ફૈક્ટરવાળા રોકાણકારો માટે મ્યૂચ્યૂઅલ ફંડ પણ વધારે સારો વિકલ્પ છે.
80 Cનો દાયરો વધારવાની આશા
હાલમાં સેક્શન 80સી અંતર્ગત કરવામાં આવેલા 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેનાથી PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, લાઈફ ઈંશ્યોરેંસ જેવી કેટલીય પ્રોડક્ટ્સ આવે છે. આ અગાઉ વર્ષ 2014માં 80 સી દાયરામાં 1 લાખથી વધારે 1.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. એટલે કે, છેલ્લા 8 વર્ષોમાં તેમાં ફેરફાર થયો નથી. ખાસકરીને નોકરીધંધાવાળા માટે સેક્શન 80 સી ટેક્સ બચાવવામાં સૌથી વધારે સારૂ ઓપ્શન હોય છે. જો સરકાર આ સેક્શન અંતર્ગત છૂટ મર્યાદા વધારે છે તો વધારે લોકો તેમાં રોકાણ કરી શકે છે.
બેસિક લિમિટ પણ વધારી શકાય છે
ટેક્સ છૂટની બેસિક લિમિટ હાલમાં 2.5 લાખ રૂપિયા છે. આ અગાઉ વર્ષ 2014માં તેને 2 લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી હતી. પણ તેમાં છેલ્લા 8 વર્ષોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલા માટે આશા છે કે, ટેક્સપેયર્સને રાહત આપવા માટે બેસિક લિમિટને વધારીને 3 લાખ રૂપિયા કરી શકાય છે. હકીકતમાં આ વર્ષે 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે બેસિક લિમિટને વધારીને ટેક્સપેયર્સ એટલે કે, એક ખાસ વર્ગ માટે વોટર્સને ખુશ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.