બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Big announcement for TET pass students by Jitu vaghani, Cabinet Minister, Education Department, Government of Gujarat
ADVERTISEMENT
સરકાર તરફથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે કોરોનાની સ્થિતિમાં અનેક ભરતી માટેની યુવાનોએ તકલીફો વેઠી છે. જેને ધ્યાને રાખી વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય 1/9/2021થી લાગુ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.
ADVERTISEMENT
ટેટમાં આ સમય મર્યાદા નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી રહેશે. તેમજ આ નિર્ણયને કારણે 3300 જેટલી ભરતી પણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ઉમેદવારોને થશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધી. ટેટ પાસ કરેલા વિદ્યાર્થીને શું ફાયદો?
શિક્ષણ ખાતા તરફથી સરકાર સાથે પરામર્શ કરી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટેટની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો આગામી ભરતીમાં લાભ લઈ શકે તેણે લઈને સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત સરકારની નવી શિક્ષણનીતિની જાહેરાત થઈ ગઈ છે પણ જ્યાં સુધી આ નવી શિક્ષણનીતિ અમલમાં ન આવે ત્યાં સુધી આ આ સમય મર્યાદાના વધારાનો નિર્ણય લાગુ રહેશે આ કારણે ટેટમાં પાસ કરેલા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. કારણ કે ઘણા સમયથી ટેટ પાસ કરી ઉમેદવારો સરકારી ભરતીની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોનાને કારણે ભરતીમાં વિલંબ થતાં મોટો ફટકો પડે તેમ હતો સરકારની આ જાહેરાતથી આવનાર દિવસોમાં 3300 જેટલી ભરતી ટેટ પાસ ઉમેદવારો માટે થશે.
ADVERTISEMENT
સરકારી નોકરીમાં વયમર્યાદામાં વધારો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.