બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:50 PM, 8 September 2025
9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 શરૂ થશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, જેથી આ બંને ટીમ વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. એવું કહેવાઈ રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા આ મેચનો બહિષ્કાર કરી શકે છે, પરંતુ ભારત સરકારના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચ યોજાશે. આ અંગે BCCI સચિવ દેવજીત સૈકિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
ADVERTISEMENT
તેમને એક જગ્યાએ વાતચીત કરતા જણાવ્યું કે, "ક્રિકેટ કે અન્ય કોઈપણ રમતમાં ભારતીય ટીમની સામેલગીરી અંગે કેન્દ્ર સરકારના રમત વિભાગે માર્ગદર્શિકા અને નીતિઓ નક્કી કરી છે. નીતિ બનાવતી વખતે, મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે રમત ગમત ફેડરેશનોને મદદ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય લીધો છે. આ મુજબ, અમે કોઈપણ મલ્ટી ટીમ ટુર્નામેન્ટમાં ભાગીદારી અંગે નિર્ણય લઈ શકીએ છીએ."
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી આ ટીમ વચ્ચે એક મેચ ફિક્સ છે, જે 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. બંને સુપર 4 માં સ્થાન મેળવશે તેવી પૂરે પૂરી શક્યતા છે, આથી આ બંને વચ્ચે ફરી એકવાર 21 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. જો બંને ફાઇનલમાં પહોંચે તો એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.