બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha District Collector issued a notification prohibiting pumping of water from the Narmada main canal by placing machines.
Dinesh
Last Updated: 05:31 PM, 1 May 2023
બનાસકાંઠામાં નર્મદા નહેરમાંથી મશીન દ્વારા પાણી ખેંચવા પર પ્રતિબંધ ફરમાવતું જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે નર્મદા મુખ્ય નહેર તા 01.05.2023થી તા 15.05.2023 સુધી મરામત અને નિભાવણી અર્થે બંધ કરવામાં આવનાર છે. આથી મુખ્ય નહેરો પરના સોર્સ આધારીત જુથ પાણી પુરવઠા યોજનાના ગામોમાં પીવાનો પાણી પુરવઠો નિયમિત પુરો પાડવા તકલીફ ઉભી થવાની શક્યતા રહે છે. બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલનું પાણી ફક્ત પીવાના ઉપયોગમાં લેવામાં આવનાર છે. તથા અમુક યોજનાઓમાં સોર્સ તરીકે નર્મદાની કેનાલ મારફતે તળાવ ભરીને ઉપયોગમાં લેવામાં આવે છે.
મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન
જાહેરનામાંમાં જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાના 279 ગામો તથા 2 શહેરો ( થરાદ , ધાનેરા ) નો સમાવેશ પીવાના પાણી માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે. ખેડુતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મુકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે. આમ જો સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ છે, જેથી જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડુતો ધ્વારા પોતાના મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે
તા.01/05/2023થી તા.15/05/2023 (બંને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વેય બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજવતા અધિક્ષક ઈજનેર, જાહેર આરોગ્ય વર્તુળથી લઈ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગમાં વર્ગ–૩ નો હોદ્દો ધરાવનાર કર્મચારી, પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ -1951ની કલમ -131 મુજબ ફરિયાદ માંડવા આથી અધિકૃત કરવામાં આવે છે. તેમ પણ જાહેરનામાં જણાવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime