બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Ban on having more than one wife, Chief Minister said the bill will come in 45 days in Assam
Priyakant
Last Updated: 12:30 PM, 3 September 2023
આસામમાં એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધને લઈ કવાયત શરૂ થઈ છે. આ બધાની વચ્ચે આસામના મુખ્યમંત્રી સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકવા માટે આસામ સરકાર ડિસેમ્બરમાં રાજ્યની વિધાનસભામાં બિલ રજૂ કરે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, અમે રાજ્યમાં લવ જેહાદને રોકવા માટેના બિલમાં કેટલાક મુદ્દા પણ ઉમેરીશું.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સરમાએ એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકવા માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. આ તરફ શનિવારે એક બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, લોકોના અભિપ્રાય બાદ અમે એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધને લઈ ટૂંક સમયમાં નક્કર પગલાં લઈશું.
શું કહ્યું મુખ્યમંત્રીએ ?
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શનિવારે આસામના તિનસુકિયામાં સર્વપક્ષીય બેઠકને સંબોધિત કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આગામી 45 દિવસમાં રાજ્યમાં એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકતા બિલને અંતિમ સ્વરૂપ આપશે. જેથી હવે ટુંક સમયમાં આ એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ બિલ વિધાનસભામાં આવી શકે છે.
સરમાએ બેઠકમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકી શકે છે કે નહીં તેનું વિશ્લેષણ કરવા માટે એક કાનૂની સમિતિની રચના કરવામાં આવી હતી, અમને સકારાત્મક મંતવ્યો મળ્યા છે. અમે એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવિત બિલ પર જનતાની સલાહ પણ લીધી હતી.
આ સાથે તેમણે કહ્યું કે, અમે લોકોના અભિપ્રાયો અને સૂચનો પણ માંગ્યા હતા અમને જવાબમાં કુલ 149 સૂચનો મળ્યા છે. તેમાંથી 146 સૂચનો બિલની તરફેણમાં છે અને તે એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરે છે. ત્રણ સૂચનોએ એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ મૂકવાનો વિરોધ દર્શાવ્યો છે. અમારું આગળનું પગલું બિલનો મુસદ્દો તૈયાર કરવાનું છે. અમે આગામી 45 દિવસમાં બિલને અંતિમ સ્વરૂપ આપીશું. મને લાગે છે કે હું આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભામાં બિલ રજૂ કરી શકીશ.
લવ જેહાદ પણ બંધ થશે
અગાઉ આસામમાં એકથી વધુ પત્ની રાખવાની પ્રથાને સમાપ્ત કરવા માટે કાયદો બનાવવા માટે રાજ્ય વિધાનસભાની વિધાનસભ્ય ક્ષમતાની તપાસ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આ વર્ષે 6 ઓગસ્ટે આસામના મુખ્યમંત્રીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો .દરમિયાન મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં લવ જેહાદને રોકવા માટે અમે બિલમાં કેટલાક મુદ્દા ઉમેરીશું.
આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટને લઈ શું કહ્યું ?
આસામના મુખ્યમંત્રીએ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) પાછી ખેંચવાના મુદ્દે વાત કરતા આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તેના પર કામ કરી રહી છે.તેમણે કહ્યું, "અમે AFSPAએ હટાવવા જોઈએ કે નહીં તે અંગે નિર્ણય લેવાનો રહેશે. તે રાજ્ય સરકારનો અભિપ્રાય છે અને કેન્દ્ર સરકાર અંતિમ વિચાર લેશે. હું આ મહિને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીશ. એક નક્કર નિર્ણય આ મહિનાના અંતમાં લેવામાં આવશે.
સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, 1958 એ ભારતની સંસદનો એક અધિનિયમ છે જે ભારતીય સશસ્ત્ર દળોને "અવ્યવસ્થિત વિસ્તારોમાં" જાહેર વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સત્તા આપે છે. ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ, 1976 મુજબ એકવાર કોઈ વિસ્તારને 'ડિસ્ટર્બ' જાહેર કરવામાં આવે તો ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog