બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 If the BJP loses here in Rajasthan, this 15-seat candidate could be the kingmaker
Megha
Last Updated: 02:00 PM, 3 December 2023
રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. આ બેઠકો પર 1800 થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વચ્ચે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, પરંપરાગત રીતે આ રાજ્યમાં, દરેક વિધાનસભા ચૂંટણીમાં શાસન એટલે કે સરકાર બદલાય છે. એક ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે અને બીજી ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દાયકાઓથી ચાલી આવતી પરંપરા આ વખતે પણ નહીં બદલાઈ એવું લાગી રહ્યું છે.
રાજસ્થાનમાં ભાજપ મજબૂત લીડ બનાવી રહ્યું છે. વલણો અનુસાર ભાજપ બહુમતીની સીમા પર પહોંચતું જણાય રહ્યું છે. રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવીને બીજેપી ઘણી આગળ દેખાઈ રહી છે. એવામાં હવે, જો રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે, તો આવી 15 બેઠકો છે જેના વિજેતા ઉમેદવારો કિંગ મેકર સાબિત થશે. જો કે, આમાંના મોટાભાગના ઉમેદવારો અપક્ષ (બળવાખોર) છે અથવા નાના પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
ભારતીય આદિવાસી પાર્ટીના 4 ઉમેદવારો આગળ છે જ્યારે કોંગ્રેસ-ભાજપના બળવાખોર 9 અપક્ષ ઉમેદવારો ટ્રેન્ડમાં આગળ છે. બસપાના ઉમેદવારો 2 બેઠકો પર અને CPIMના ઉમેદવારો એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
આ તે સીટો કે જ્યાં વિજેતા ઉમેદવારો કિંગ મેકર બની શકે છે
ભાજપને સત્તાની ચાવી આપવામાં આ કોંગ્રેસ અને ભાજપના આ બળવાખોર ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવશે. બંને પક્ષોના બળવાખોર ઉમેદવારોમાં ચંદ્રભાન સિંહ અક્યા (ચિત્તોડગઢ), બંશીધર બજિયા (ખંડેલા), યુનુસ ખાન (દિડવાના), રવિન્દ્ર સિંહ ભાટી (શિવ), કૈલાશ મેઘવાલ (શાહપુરા), આશા મીના (સવાઈ માધોપુર), રાજપાલ સિંહ શેખાવત (જોતવારા) આશુ સિંહ સુરપુરા (જોતવારા), રોહિતશ્વ શર્મા (બાન્સુર), પ્રિયંકા ચૌધરી (બાડમેર) જેવા નામો સામેલ છે જેઓ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ એવી બેઠકો છે જ્યાંથી ભાજપ-કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ આ નેતાઓ બળવાખોર બન્યા હતા, પરંતુ લોકોમાં તેમના પ્રભાવને કારણે તેઓ ચૂંટણી જીતી શકે છે.
1. કોંગ્રેસની હાર પાછળ કોંગ્રેસની કઈ ભૂલો?
કોંગ્રેસની રાજસ્થાનમાં હાર પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ કારણો પાર્ટીનાં સ્તર પર પણ હોઈ શકે છે. જે રીતે જો કોંગ્રેસની સરકાર બની હોત તો તેની પાછળ અશોક ગહેલોતનો હાથ હોત તેવી જ રીતે જો પાર્ટી હારી ગઈ છે તો તેની પાછળ પણ અશોક ગહેલોતની કેટલીક વ્યક્તિગત ભૂલો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અનેક એવી ભૂલો કરી જેના લીધે સીટ તેમના હાથમાંથી નિકળી ગઈ. પાર્ટીની સાથે રહેવું જરૂરી હોય છે પણ પોતાનું અલગ વર્ચસ્વ બનાવવાનાં ચક્કરમાં કદાચ ગહેલોત પાર્ટીનાં નેતા હોવાનું ચૂકી ગયાં હોય તેવું લાગ્યું.
2. ઉમેદવારો સાથે વ્યક્તિગત વાતચીતનો અભાવ
રાજસ્થાનની રાજનીતિને નજીકથી જોનારા લોકોનું માનવું છે કે અશોક ગહેલોત કોંગ્રેસનાં બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ ક્યારેય ન કર્યો. તે ઈચ્છત તો પોતાના પદની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને તેમને ચૂંટણી લડવા માટે મનાવી શકતાં હતાં. પણ અશોક ગહેલોત ડબલ ગેમ રમી રહ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતે ઈચ્છતાં હતાં કે પાર્ટીને બહુમત ન મળે કારણકે તેમને વિશ્વાસ હતો કે પૂર્ણ બહુમત આવવા પર સરકાર બનાવવાની ચાવી તેમના હાથથી નિકળીને પાર્ટીનાં હાઈકમાન પાસે જતી રહેશે. કદાચ આ જ કારણોસર તેમણે પોતાના ઉમેદવારોને મનાવવાની કોશિશ ન કરી.
3. 3.5 વર્ષ સુધી સચિન પાયલટનું અપમાન
સચિન પાયલટની સાથેની લડાઈમાં અશોક ગહેલોત કોઈ પણ કિંમતે સચિન પાયલટને કંઈ પણ આપવા માટે તૈયાર નહોતાં. પાયલટનું ડેપ્યૂટી સીએમનું પદ તો હાથમાંથી ગયું જ પણ તેમને સંગઠનમાં એકપણ પદ ન આપવામાં આવ્યું કારણકે ગહેલોત તેના માટે તૈયાર નહોતાં. સચિન માટે અનેકવાર તેમણે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. ચૂંટણીનાં 6 મહિના પહેલા કહેવામાં આવ્યું કે ગહેલોત અને પાયલટની વચ્ચે મતભેદ સમાપ્ત થઈ ગયાં છે પણ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગહેલોત અને પાયલટ એકસાથે એકપણ રોડશૉ કે રેલીમાં ન દેખાયા.
4. વારંવાર પેપરલીક
રાજસ્થાન સરકારી નોકરીઓમાં થતાં ઘોટાળાનું કેન્દ્ર બની ગયું. પાંચ વર્ષમાં આશરે 17 વખત પેપરલીક થઈ ગયાં. રાજ્યમાં નોકરીઓની સેલ લાગી ગઈ અને પૈસા આપીને કોઈ ખરીદી પણ રહ્યું હતું. રાજ્યમાં 18થી 21 વર્ષનાં યુવા વોટર્સની સંખ્યા આશરે 66 લાખ છે. તેઓ નોકરીમાં ભ્રષ્ટાચાર અને પેપરલીકથી દુખી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર આ મુદાનો ઉઠાવવામાં આવ્યો હતો.
5. યોજનાઓ બની પણ લાગૂ ન થઈ
ગહેલોતની બેદકારી આ ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ હોઈ શકે છે. અધૂરી યોજનાઓને લીધે જનતામાં નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું. સવા કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાની ઘોષણા થઈ હતી, ચાલીસ લાખને ફોન દેવાનો દાવો કરવામાં આવ્યો છે પણ વાસ્તવમાં તો 20-25 લાખ જ ફોનની વહેંચણી કરવામાં આવી છે. જે લોકોને સ્માર્ટફોન નથી મળ્યો તેનો વોટ શું કોંગ્રેસને જાય? બેરોજગારી ભથ્થા સ્કીમ અને પ્રદેશ સરકારી ફ્લેગશિપ સ્કીમ અંતર્ગત 25 લાખ રૂપિયા ગંભીર બીમારીઓનાં ઈલાજ માટે આપવાની વાત કરવામાં આવી હતી પણ આ યોજનાઓનાં લાભાન્વિતોનો રેકોર્ડ આપવા માટે ખુદ કોંગ્રેસ સરકાર સક્ષમ ન રહી.
6. 2-2 વર્ષો સુધી ખાલી રહ્યાં પદ
કોંગ્રેસની હારમાં મુખ્યમંત્રી હોવા છતાં ગહેલોતની બેદકરકારીનાં કારણે બોર્ડ નિગમ સહિત તમામ પદ વર્ષો સુધી ખાલી રહ્યાં હતાં જેના માટે ગહેલોતને જ દોષિત માનવામાં આવે છે. જે નિયુક્તિઓ ચૂંટણીનાં 1-2 વર્ષોમાં થઈ જવી જોઈએ તે બીજી ચૂંટણી નજીક આવ્યા સમયે થઈ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime