બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ASI survey to continue in Gnanawapi Masjid, shock to Muslim party from Supreme Court
Priyakant
Last Updated: 05:19 PM, 4 August 2023
સુપ્રીમ કોર્ટે શુક્રવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દીધી હતી. જેમાં જ્ઞાનવાપી મસ્જિદ ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં ASIને જ્ઞાનવાપી કેમ્પસનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના એએસઆઈને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપતા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે એએસઆઈના સર્વે દરમિયાન મસ્જિદને હાથ ન લગાડવો જોઈએ અને કોઈ ખોદકામ ન કરવું જોઈએ.
બેન્ચે એએસઆઈ અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી હતી કે, સર્વેક્ષણ દરમિયાન કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં અને માળખાને કોઈ નુકસાન થશે નહીં. મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ દલીલ કરી હતી કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની આ કવાયત ઈતિહાસનું ખોદકામ કરવા, પૂજાના સ્થળો સહિત ભાઈચારાને અસર કરે છે. તે ભૂતકાળના ઘા ફરી ખોલશે.
જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુસ્લિમ સંગઠનના વકીલે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરીને એએસઆઈને સર્વે કરવાથી રોકવા માટે બેન્ચને અપીલ કરી હતી.
Supreme Court declines to stay the scientific survey by the Archaeological Survey of India (ASI) of the Gyanvapi mosque premises.
— ANI (@ANI) August 4, 2023
Supreme Court says that ASI has clarified that the entire survey would be completed without any excavation and without causing any damage to the… pic.twitter.com/Q2lF2uOkRD
આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જ જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વે પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી કરી રહેલા ASIએ કોર્ટમાં સર્વે માટે સમય વધારવાની માંગણી કરી છે. આ અંગે એએસઆઈ દ્વારા જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી આપવામાં આવી છે. જિલ્લા અદાલતે ASI પાસેથી 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ માંગ્યો હતો. પરંતુ ASI સર્વે પૂર્ણ કરવા માટે સમય વધારવાની માંગ કરી રહ્યા છે. સાથે જ મોટી સંખ્યામાં નમાઝદારોને કારણે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેની કામગીરી અટકી પડી છે. નમાજ પત્યા બાદ સર્વેની પ્રક્રિયા ફરી શરૂ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog