બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૂનાગઢથી સાબરમતી જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને કરાયા ટ્રાન્સફર, થોડા દિવસ પહેલા દીકરાને મળ્યા છે જામીન
Last Updated: 05:58 PM, 5 April 2026
જૂનાગઢ: રીબડાના રહેવાસી અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમની સંડોવણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ADVERTISEMENT
સરેન્ડર કર્યા બાદ જૂનાગઢ જેલમાં બંધ હતા
અનિરુદ્ધસિંહ જાડેજા 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સરેન્ડર કર્યા બાદથી જૂનાગઢ જેલમાં બંધ હતા. હાલ તેમની સુરક્ષા તેમજ તપાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT

અનિરૂદ્ધસિંહના દીકરાને થોડા દિવસ પહેલા જ જામીન મળ્યા
ADVERTISEMENT
મહત્વપૂર્ણ છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ સામે આવ્યું છે. આ કેસમાં તેમના દીકરા રાજદીપ જાડેજાનું નામ પણ ઉલ્લેખિત છે. રાજદીપને થોડા દિવસો પહેલા કોર્ટ દ્વારા જામીન મળ્યા હતા. જે બાદ કેસને લઈ ચર્ચા વધુ તેજ બની છે.

ADVERTISEMENT
ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ કોર્ટે અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન મંજૂર કર્યા છે. કોર્ટે રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાને જામીન મળતા ટૂંક સમયમાં જેલ મુક્તિ થશે.
84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહ જેલમાંથી બહાર આવશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન રદ્દ થયા બાદ ગોંડલ કોર્ટે જામીન આપ્યા છે. જજ એચ.એ. ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલોલને આધારે ચુકાદો સંભળાવ્યો હતો. 10 નવેમ્બરે 2025 ના રોજ આત્મસમર્પણ કર્યું હતું.
ADVERTISEMENT

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રાજદીપસિંહ ગયા છ મહિના દરમિયાન ફરાર હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અમિત ખુંટ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ છે. આ સુસાઇડ નોટના આધારે પોલીસએ બંને પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
રાજદીપસિંહ જાડેજા ફરાર થતાં પહેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને અરજી ફગાવી દેવામાં આવી હતી. કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ અગાઉ આત્મસમર્પણ કર્યું હતું અને પોલીસ ધરપકડ કરી ચૂકી છે.
અમિત ખુંટ કેસમાં રાજદીપસિંહ રીબડાનું ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સરેન્ડર, 6 મહિનાથી હતો ફરાર#AmitKhuntCase #RajdeepsinhRibda #GondalPolice #BreakingNews #FugitiveSurrenders #CrimeNews #PoliceAction #JusticeUpdate #LawAndOrder #GujaratNews #InvestigationUpdate #Gujarat #VTVDigital pic.twitter.com/5ux4x8hDBO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 11, 2025
અગાઉ પોલીસ તપાસમાં આ કેસ હનીટ્રેપની કથાના પણ બનેલા હોવાનું ખુલ્યું છે. આ કાવતરામાં એક યુવતી અને એક સગીરની ધરપકડ થઈ હતી. કાયદાકીય મદદ આપવા બદલ બે વકીલો, સંજય પંડિત અને દિનેશ પાતર પણ અટકાયત કરવામાં આવ્યા હતા. અતાઉલ્લાહ ખાન નામના અન્ય એક શખ્સની ધરપકડ પણ થઈ ચુકી છે, જ્યારે રહીમ મકરાણી હજુ પણ ફરાર છે.

અમિત ખુંટની સુસાઇડ નોટ
અમિત ખુંટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયાના બે દિવસમાં આત્મહત્યા કરી હતી. તેમને લખેલી ચાર પાનાની સુસાઇડ નોટમાં પહેલા બે પાના પર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્રીજા પાનામાં પોતાના પરિવારજનોના કોન્ટેક્ટ નંબર અને અન્ય પાનામાં મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, “હું આ લોકોના ત્રાસથી મરું છું.”
આ પણ વાંચોઃ ડીસામાં પકડાયો પાકિસ્તાની ગેંગસ્ટરનો સાથી, ATS અને SOGની સંયુક્ત કામગીરી
શું કહ્યું પોલીસે ?
ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના નિવેદન અનુસાર પોલીસ હવે તપાસમાં આ બાબતોનું વિગતવાર પુછપરછ કરશે કે, કોણે કોણે રાજદીપસિંહને આશરો આપ્યો અને કઈ કઈ જગ્યાઓ પર તેમણે ફરાર કર્યા. રાજદીપસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.