તાત્કાલિક ખંભાત મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહે પત્રકાર પરિષદ યોજી અને આણંદની પરિસ્થિતિ વિશે ચિતાર આપ્યો હતો. આણંદના ખંભાતમાં હિંસા બાદ હાલ પણ બજારો બંધ છે. ખંભાતમાં બે દિવસ પહેલાની ઘટનાને લઇ બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ખંભાતમાં પ્રવેશના તમામ રસ્તા પર પોલીસ તૈનાત કરાઈ છે. અને ખંભાતને `પાકિસ્તાન બનતું અટકાવવા તંત્ર જાગે`ના નારા લાગ્યા છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાને રાખીને RPFની એક ટીમ ઉપરાંત LCB, SOG, SRPની 3 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તો 3 DySP, SP, 7 PI, 11 PSI અને 107 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આણંદના ખંભાતમાં હિંસાનો મામલો
અસામાજિક તત્વોને લઈને વિરોધ
હિંસા બાદ ખંભાતમાં હાલમાં પણ બજારો બંધ
SRP તાત્કાલિક આવીને હિંસાને કાબૂમાં લીધી
બે દિવસ પહેલાની ઘટનાને લઈને અપાયું હતું બંધનું એલાન
હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું બંધનું એલાન