બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics / Amit Shah himself took the command to win this state of the country, prepared this master plan
Priyakant
Last Updated: 11:04 AM, 13 July 2023
દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન હવે આ વર્ષે છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાની ટોચે પહોંચવા માટે રાજકીય પક્ષોએ પૂરા જોરશોરથી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી દીધી છે. ભાજપે છત્તીસગઢ માટે રોડમેપ બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે છત્તીસગઢમાં તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી છે.
અમિત શાહે 5 અને 6 જુલાઈના રોજ છત્તીસગઢમાં રાજ્ય સંગઠનની બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભા ચૂંટણી લડશે. જોકે રાજ્યની ચૂંટણી પાર્ટીના સૌથી ચહેરા PM મોદીના સામૂહિક નેતૃત્વ હેઠળ અને છત્તીસગઢમાં લડવામાં આવશે.
ભાજપ પાર્ટી હાઈકમાન્ડે પાર્ટીમાં જૂથવાદને રોકવા માટે કોઈ એક નેતાને બદલે સામૂહિક નેતૃત્વ પર દાવ લગાવવાનું વધુ સારું માન્યું છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી આડે 4 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આથી પાર્ટી હાઈકમાન્ડે રાજ્ય સંગઠન અને નેતાઓની કડકાઈ શરૂ કરી દીધી છે. BJP સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પોતે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભૂપેશ બઘેલની કોંગ્રેસ સરકારને હરાવવા અને સામૂહિક નેતૃત્વ હેઠળ પાર્ટીને એકજૂથ રાખવાની કમાન સંભાળી છે
અમિત શાહ મહિનામાં 2 વાર છત્તીસગઢની મુલાકાતે
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહ પોતે એક મહિનામાં બે વખત છત્તીસગઢની મુલાકાતે આવ્યા છે. 7 જુલાઈના રોજ PM મોદીએ સરકારી કાર્યક્રમ માટે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની મુલાકાત પહેલા અમિત શાહ છત્તીસગઢ ગયા હતા અને મોડી રાત સુધી કેટલાક કલાકો સુધી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે રાજ્યમાં ચૂંટણી પ્રતિસાદના આધારે રણનીતિની સમીક્ષા કરી હતી.
2 ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓ છત્તીસગઢ જશે
PM મોદી અને અમિત શાહ ઉપરાંત ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, અર્જુન મુંડા, ફગ્ગન સિંહ કુલસ્તે સહિત કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ છેલ્લા એક મહિનામાં છત્તીસગઢની મુલાકાતે આવ્યા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં 2 ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓ છત્તીસગઢની મુલાકાતે જવાના છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો PM મોદી અને ગૃહમંત્રી ચૂંટણીના એક મહિનામાં બે વખત છત્તીસગઢમાં એક યા બીજા કાર્યક્રમમાં હાજરી આપશે.
છત્તીસગઢમાં ભાજપ હાઈકમાન્ડ ભૂપેશ બઘેલને હળવાશથી લઈ રહ્યું નથી. તેથી પ્રથમ વખત કોંગ્રેસના મુખ્યમંત્રી ભાજપની પીચ પર બેટિંગ કરી રહ્યા છે, એટલે કે તેઓ હિન્દુત્વની રાજનીતિ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભૂપેશ બઘેલ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની ગયા છે. ભૂપેશ બઘેલની હિંદુત્વની છબીને કાપી નાખવા માટે ભાજપ દેશની રાજનીતિમાં હિન્દુત્વના સૌથી મોટા ચહેરા PM મોદીને આગળ લાવવા માંગે છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ ભૂપેશ બઘેલને નિશાન બનાવશે. આ સાથે જ ભાજપ બસ્તર, બિલાસપુર, દંતેવાડા અને રાયપુર જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવીને ભૂપેશ બઘેલ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે.
ઓમ માથુર અને માંડવિયા પર વિશ્વાસ રાખવાનું આ જ કારણ
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 2018માં છત્તીસગઢમાં મળેલી હારને ભૂલ્યા નથી. તેથી જ ગુજરાત ચૂંટણીના પ્રભારી રહેલા ઓમ માથુરને છત્તીસગઢના ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાતમાં સંગઠનમાં લાંબા સમયથી કામ કરી ચૂકેલા મનસુખ માંડવિયાને સહ ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime