બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / amid a family dispute Ravindra Jadeja's old tweet on parents goes viral

ક્રિકેટર / પારિવારિક વિવાદની વચ્ચે રવીન્દ્ર જાડેજાની માતા-પિતા પર જૂની પોસ્ટ થઈ વાયરલ

Megha

Last Updated: 12:37 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનિરુદ્ધ સિંહ જાડેજાએ દીકરા અને પુત્રવધૂ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, આ વાતોને ક્રિકેટરે 'અર્થહિન' ગણાવી હતી. હવે જાડેજાનું માતા-પિતાનું સન્માન કરવા અંગેનું જૂનું ટ્વિટ વાયરલ થયું.

  • રવિન્દ્ર જાડેજાનું માતા-પિતાનું સન્માન કરવા અંગેનું જૂનું ટ્વિટ વાયરલ થયું. 
  • લોકો સોશિયલ મીડિયા પર આ ટ્વિટને લઈને જાડેજાને ટ્રોલ કરી રહ્યા છે. 

પિતા સાથેના વણસેલા સંબંધોના અહેવાલો વચ્ચે રવિન્દ્ર જાડેજાનું માતા-પિતાનું સન્માન કરવા અંગેનું જૂનું ટ્વિટ હાલ વાયરલ થઈ રહ્યું છે. ક્રિકેટરના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેમનો જાડેજા સાથે કોઈ સંબંધ નથી. સાથે જ ઓલરાઉન્ડરની પત્ની રીવાબા પર પરિવારમાં તિરાડ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની સામે જાડેજાએ વળતો પ્રહાર કર્યો અને આ વાતોને 'અર્થહિન' અને 'અસત્ય' ગણાવી હતી. 

Ravindra Jadeja father gave a shocking statement, Team India's all-rounder gave clarification

10 વર્ષ પહેલાની એક પોસ્ટ વાયરલ થઈ 
આ બધા વચ્ચે 10 વર્ષ પહેલા એટલે કે 4 નવેમ્બર, 2012ના રોજ 'X' પર કરેલી જાડેજાની એક જૂની પોસ્ટ વાઈરલ થઈ છે, જેમાં તેણે લખ્યું હતું કે, 'જે દરરોજ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરે છે તેને જીવનમાં ક્યારેય બીજાના ચરણ સ્પર્શ કરવાની જરૂર પડતી નથી.' હવે ફેન્સે સોશિયલ મીડિયા પર આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે.  

તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે હાલમાં જ એક વેબ પોર્ટલને આપેલ આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે તેનો પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ નથી. તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને બોલાવતા નથી. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી અને એમને 5 વર્ષથી તેની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી. 

પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં
રવિન્દ્ર જાડેજાના પિતા એ કહ્યું કે ''મારે દીકરા (રવિન્દ્રસિંહ જાડેજા) કે તેની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઈ જ સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં. એને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, તો આજે અમારી આવી હાલત ન હોત.''

વધુ વાંચો: રોચક છે રવીન્દ્ર જાડેજાની લવસ્ટોરી: રિવાબા સાથે આ રીતે થઈ હતી પહેલી મુલાકાત, લગ્નમાં થયું હતું હવાઈ ફાયરિંગ

આ તમામ વાતો અર્થહિન અને અસત્ય છે
જો કે આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે. એમને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મારી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ