બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Megha
Last Updated: 12:37 PM, 11 February 2024
પિતા સાથેના વણસેલા સંબંધોના અહેવાલો વચ્ચે રવિન્દ્ર જાડેજાનું માતા-પિતાનું સન્માન કરવા અંગેનું જૂનું ટ્વિટ હાલ વાયરલ થઈ રહ્યું છે. ક્રિકેટરના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેમનો જાડેજા સાથે કોઈ સંબંધ નથી. સાથે જ ઓલરાઉન્ડરની પત્ની રીવાબા પર પરિવારમાં તિરાડ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની સામે જાડેજાએ વળતો પ્રહાર કર્યો અને આ વાતોને 'અર્થહિન' અને 'અસત્ય' ગણાવી હતી.
10 વર્ષ પહેલાની એક પોસ્ટ વાયરલ થઈ
આ બધા વચ્ચે 10 વર્ષ પહેલા એટલે કે 4 નવેમ્બર, 2012ના રોજ 'X' પર કરેલી જાડેજાની એક જૂની પોસ્ટ વાઈરલ થઈ છે, જેમાં તેણે લખ્યું હતું કે, 'જે દરરોજ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરે છે તેને જીવનમાં ક્યારેય બીજાના ચરણ સ્પર્શ કરવાની જરૂર પડતી નથી.' હવે ફેન્સે સોશિયલ મીડિયા પર આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે.
''One who touches his parents foot daily, He never faces the situation in his life to touch others foot.''.
— Ravindrasinh jadeja (@imjadeja) November 4, 2012
તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે હાલમાં જ એક વેબ પોર્ટલને આપેલ આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે તેનો પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ નથી. તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને બોલાવતા નથી. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી અને એમને 5 વર્ષથી તેની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી.
Ravindra Jadeja After seeing this -: pic.twitter.com/ynsvGAjIOI
— Sharad Choudhary (@talk2sharadkc) February 9, 2024
પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં
રવિન્દ્ર જાડેજાના પિતા એ કહ્યું કે ''મારે દીકરા (રવિન્દ્રસિંહ જાડેજા) કે તેની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઈ જ સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં. એને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, તો આજે અમારી આવી હાલત ન હોત.''
Kya se kya hogye dekhte dekhte ..... pic.twitter.com/oV49GjCPSK
— LAAL BAADSHAH (@_100off52_) February 9, 2024
આ તમામ વાતો અર્થહિન અને અસત્ય છે
જો કે આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે. એમને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મારી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime