બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / alia bhatt and ranbir kapoor may not marry in april know why

બોલિવુડ / બહુ કરી! રણબીર-આલિયાના લગ્નની ભારે ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર, જાણીને ચોંકી જશો

Published By: Dhruv

Last Updated: 04:22 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ રણબીર-આલિયાના લગ્નને લઇને તેના ફેન્સ આતુર થઇ રહ્યાં છે ત્યારે બીજી બાજુ તેમના લગ્નને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

  • ક્યારે થશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન?
  • 17 એપ્રિલે લગ્ન કરવાના સમાચાર વહેતા થયા હતાં
  • બંનેના લગ્નને લઇને આવ્યાં વધુ એક ચોંકાવનારા સમાચાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની રાહ જેટલી તેઓ પોતે નથી જોઇ રહ્યાં તેટલી તો તેના ચાહકો તેની રાહ જોઇ રહ્યાં છે. તેના ચાહકો બંનેને વહેલામાં વહેલી તકે લગ્નના બંધનમાં બંધાયેલા જોવા માંગે છે. આ જ કારણ છે કે તેઓ રણબીર અને આલિયાના લગ્ન સંબંધિત તમામ અપડેટ માટે ઉત્સાહિત રહે છે. અત્યાર સુધી બંનેને લઇને એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને 17 એપ્રિલે લગ્ન કરવા જઈ રહ્યાં છે. પરંતુ હવે આ સમાચાર સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ જશે.

એક અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું છે કે તેમના લગ્નના સમાચારને વધારે પડતા દર્શાવવામાં આવી રહ્યાં છે કારણ કે આ અંગે કોઈ પણ જાતની જાહેરાત નથી કરવામાં આવી અને ન તો કપૂર પરિવાર તેમજ ભટ્ટ પરિવારના ઘરમાં લગ્નની કોઈ તૈયારી જોવા મળી રહી.

નથી થઇ રહી કોઇ પણ જાતની તૈયારી

સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, બોલિવુડમાં કોઈ પણ સમયે જ્યારે કોઈ લોકપ્રિય અને ટ્રેન્ડિંગ કપલની એકસાથે કોઈ ફિલ્મ આવે છે, તો એવું ક્યારેય બન્યું નથી કે તેઓ ફિલ્મની રિલીઝ સુધીમાં લગ્ન કરી લે. કારણ કે આમ કરવું એ ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવા સમાન છે.

ફિલ્મ રિલીઝ થયા બાદ કલાકાર બંધાય છે બંધનમાં

તેઓએ કહ્યું કે, કોઇ પણ કલાકાર ફિલ્મ રિલીઝ થયા બાદ જ લગ્ન કરે છે, એ માટે તમે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ જેવાં જૂના ઉદાહરણો જ જોઈ લો. આથી જ બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા બાદ જ આલિયા અને રણબીર પણ લગ્ન કરી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું બંને ખરેખર એપ્રિલમાં લગ્ન કરશે કે પછી બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા બાદ જ સાત ફેરા ફરશે.

તાજેતરમાં જ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ થયું છે

તમને જણાવી દઈએ કે, થોડાં દિવસો પહેલાં આલિયા અને રણબીરે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. વર્ષ 2018 થી શરૂ થયેલી આ ફિલ્મનું શૂટિંગ હવે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આલિયાએ રણબીર અને ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી સાથે ફોટો શેર કરીને ફેન્સને આ ખુશખબરી આપી છે. આલિયાએ લખ્યું છે કે, અમે વર્ષ 2018માં શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે હવે આખરે બ્રહ્માસ્ત્રના પાર્ટ 1નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. 9/9/2022 નાં રોજ સિનેમાઘરમાં મળીશું.

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt Ayan Mukerji Bollywood News Brahmāstra movie Ranbir Kapoor entertainment news Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ