બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Vastrapur stone pelting between two groups, one dead

ઘર્ષણ / મંદિર જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે વસ્ત્રાપુરમાં પથ્થરમારો, એકનું મોત, 7 ઘાયલ

Vidhata

Last Updated: 02:24 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે જૂથ અથડામણની ઘટના બની. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું.

પથ્થરમારામાં 7 જેટલા લોકોને થઈ ઈજા, એકનું મોત

શહેરમાં બુધવારની રાતે વસ્ત્રાપુરના ભરવાડવાસમાં બે જૂથ વિવાદ થતા સામસામે પથ્થરમારો કરાયો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં 7 લોકો ઘાયલ થયા છે, જયારે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. જો કે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. 

વધુ વાંચો: કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ, અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

ટ્રાફિક DCP સફિન હસને આ અંગે જણાવ્યું કે મંદિરની પ્રાણ પ્રતિસ્થા માટે પત્રિકામાં નામ છપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે આંતર વિગ્રહ ચાલુ હતો. જેના પગલે બે જૂથ વચ્ચે આ પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ ઘટનામાં જે લોકો પણ સંડોવાયેલા છે, એ તમામ લોકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ