બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Against BJP candidate Rajpal Singh Jadav on Panchmahal seat Confrontation with Gulab Singh Chauhan of Congress
Dinesh
Last Updated: 07:44 PM, 24 March 2024
એક તરફ દેશમાં હોળીનો રંગ છે તો બીજી તરફ ચૂંટણી પ્રચારનો તંજ છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારને લઈ કામે લાગી ગયા છે. જે બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે ત્યાં પૂરજોરમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે વાત કરીએ પંચમહાલ લોકસભા બેઠકની તો જ્યાં ભાજપ રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા છે. ચાલો બેઠક વિશે વિશેષ જાણી...
ભાજપ ઉમેદવાર- રાજપાલસિંહ જાદવ
કોંગ્રેસ ઉમેદવાર- ગુલાબસિંહ ચૌહાણ
કોણ છે રાજપાલસિંહ જાદવ?
વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં.
કોણ છે ગુલાબસિંહ ચૌહાણ?
લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા.
પંચમહાલ બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન પછી બેઠક અસ્તિત્વમાં આવી છે. 2009થી આ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. બે ટર્મ સુધી પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ હતા. 2019માં ભાજપના રતનસિંહ રાઠોડની જીત થઈ હતી. ખેડા, મહીસાગર અને પંચમહાલ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે.
2019નું પરિણામ
ભાજપ રતનસિંહ રાઠોડ
પરિણામ જીત
કોંગ્રેસ વેચાટભાઈ ખાંટ
પંચમહાલમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?
ઠાસરા
બાલાસિનોર
લુણાવાડા
શહેરા
મોરવાહડફ
ગોધરા
કાલોલ
પંચમહાલના જ્ઞાતિ સમીકરણ
પંચમહાલમાં OBC મતદાર સૌથી વધુ છે. પંચમહાલ લોકસભામાં 51% જેટલા OBC મતદાર છે. જેમાં SC-ST મતદારોની સંખ્યા 21% જેટલી તેમજ સવર્ણ સમાજના 22% જેટલા મત છે. મુસ્લિમ સમુદાયના લગભગ 8% મત છે
વાંચવા જેવું: દુનિયાના અન્ય દેશની સરખામણી કેમ અલગ છે લોકસભા ચૂંટણી 2024, ગ્રાફિક્સથી જુઓ લોકશાહીની ભવ્યતા
પંચમહાલ લોકસભા બેઠકના મુદ્દા
સિંચાઈનું પાણી મળવામાં અનિયમિતતા છે. કરાડ નદીમાં સતત ઠલવાતું કેમિકલવાળુ પાણી પણ મહત્વનો મુદ્દો છે. ઔદ્યોગિક એકમ મૃત:પ્રાય અવસ્થામાં છે. નજીકના વિસ્તારમાં સારી શૈક્ષણિક સંસ્થા નથી. ગ્રામ્ય વિસ્તારમાં પરિવહન સુવિધા અપૂરતી છે. જળાશયોની સંગ્રહક્ષમતા ઓછી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime