ગુજરાતની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા એક બાદ એક અનેક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે AAPએ વધુ 7 ઉમેદવારોની યાદી બહાર પાડી છે.
AAPએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી
વધુ 7 ઉમેદવારોના નામ પાર્ટીએ જાહેર કર્યા
યુવરાજસિંહ જાડેજાને સોંપાઈ 7 વિધાનસભાની જવાબદારી
AAPએ ગુજરાત ઇલેક્શન માટે નવા 7 ઉમેદવારોની 12મી યાદી બહાર પાડી છે. કુલ અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. અગાઉ તેઓને દહેગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા. પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાને 7 વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે આ મુદ્દે યુવરાજસિંહે નિવેદન આપતા કહ્યું કે, 'પાર્ટીનો નિર્ણય સર્વોપરી.'
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
ગઇકાલે આમ આદમી પાર્ટીએ 12 નામોની 11મી યાદી જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આમ આદમી પાર્ટીએ 12 નામોની 11મી યાદી જાહેર કરી હતી. 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
11મી યાદીમાં કોને ક્યાંથી અપાઈ ટિકિટ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
સાતમી યાદીમાં કોના કોના નામ? આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 13 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં કડીથી એચકે ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
છઠ્ઠી યાદીમાં ઘાટલોડિયા સીટ પર ઉમેદવાર કર્યા જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!