બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / ભારત / ભાવનગર / Aam Aadmi Party and Congress announced alliance for Lok Sabha elections

Lok Sabha Election 2024 / ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે

Vishal Khamar

Last Updated: 12:11 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે. ત્યારે ગુજરાતની બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું.  AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે. દિલ્હીમાં ચાર બેઠક પર આપ જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે. AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન. તેમજ ગોવાની બંને બેઠકો પર કોંગ્રેસ જ લડશે ચૂંટણી.

ગુજરાતની બે બેઠકો પર આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થયું છે.  જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. 

લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.

વધુ વાંચોઃ લોકસભા ઇલેક્શનને લઇ આજે દિલ્હીમાં મોટી બેઠક, જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં કરાશે ચર્ચા-વિચારણા

દિલ્હીમાં AAP 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે.
તેમણે કહ્યું કે AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુકુલ વાસનિકે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઉભા કરશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ