બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / A major accident occurred at Delhi airport, an IndiGo plane skidded off the runway during landing
Pravin Joshi
Last Updated: 04:41 PM, 13 June 2023
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અકસ્માત થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે ગર્વની વાત છે.
એરક્રાફ્ટના પાછળના ભાગનો નીચેનો ભાગ રનવેની સપાટીને અથડાયો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે ઈન્ડિગો A321-252NX (Neo) એરક્રાફ્ટ VT-IMG એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળના ભાગનો નીચેનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને નુકસાન થયું.
તપાસના આદેશ આપવામાં આવ્યા
આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીસીએએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશનલ ક્રૂને ઓફ-રોસ્ટર કરી દીધા છે એટલે કે એરક્રાફ્ટને ઉડાવવાનું બંધ કરી દીધું છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પ્લેનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. ઈન્ડિગોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે જણાવ્યું નથી કે આ ફ્લાઈટમાં કેટલા મુસાફરો હતા.
ખરાબ હવામાનને કારણે ઈન્ડિગો ફ્લાઈટ પાકિસ્તાનમાં પ્રવેશી હતી
હાલમાં જ ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની એક ફ્લાઈટ ડાઈવર્ટ થઈ અને પાકિસ્તાનના લાહોર પહોંચી. તે 30 મિનિટ સુધી પાકિસ્તાનની એરસ્પેસમાં હતી. જોકે બાદમાં ભારત પરત ફર્યા હતા. આ ફ્લાઈટે અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. પરત ફર્યા બાદ ફ્લાઇટનું અમદાવાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. પ્લેન પાકિસ્તાનમાં ઘૂસતાં જ હંગામો મચી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો