બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A family from Rajkot has donated 558 grams of gold to Ambaji Temple
Dinesh
Last Updated: 04:47 PM, 15 August 2023
અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સોના-ચાંદીનો અવિરત દાનનો પ્રવાહ સતત આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં અનેકો માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે રાજકોટના એક પરિવારે 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે.
સોનાનું દાન
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇ ભક્તે સોનાનું ગુપ્ત દાન કર્યું છે. સોનાના દાનમાં કુલ લગડી 9 દાન કરી છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે.
નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો
શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓએ દાનની સરવાણી વહાવી રહ્યાં છે, જે પ્રકારે શક્તિપીઠ અંબાજીનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ માના દર્શન કરી રહ્યા છે ત્યારે માનો ભંડારો પણ ભક્તોએ છલકાયો છે. રાજકોટના પરિવારે સોનાનું દાન કર્યું છે જેની કુલ કિંમત 33.48 લાખ છે. જો કે, મંદિરમાં રાજકોટના માઇભક્તે સોનાનું દાન કર્યું હતું ત્યારે પોતાનું નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો.
દાનની અવિરત સરવાણી
આગામી સમયમાં પણ અંબાજી મંદિરનો અને શક્તિપીઠ અંબાજીના જ આસપાસના વિસ્તારનો વિકાસ થનાર છે ત્યારે ભકતો પણ મોટીસંખ્યામાં મા અંબાના દર્શન કરી અને દાનની અવિરત સરવાણી વહાવશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime