ભારતમાં મહિલા સશક્તિકરણ છેલ્લા થોડા વર્ષોથી મક્કમ ગતિએ વધી રહ્યું છે. ભારતની ચૂંટણીઓમાં મહિલા મતદારોની સંખ્યમાં ભલે વિક્રમજનક વધારો થયો હોય પણ રાજકારણમાં હજુ પણ તેમનું કોઈ નોંધપાત્ર પ્રદાન રહેતું નથી.
લોકનીતિ સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ ( CSDS ) અને જર્મનીના ફાઉન્ડેશન ( KAS ) ના એક પરીક્ષણ અનુસાર દેશમાં સરેરાશ 3 માંથી 2 મહિલાઓને રાજકીય રીતે ભાગ ભજવવા માટે કોઈ જ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવતી નથી.
મહિલાઓને કેટલી રાજકીય સ્વતંત્રતા મળે છે?
બિલકુલ સ્વતંત્રતા મળતી નથી
66%
બહુ ઓછી સ્વતંત્રતા મળે છે
12%
થોડી સ્વતંત્રતા મળે છે
12%
ખૂબ સ્વતંત્રતા મળે છે
10%
ખૂબ ઓછી - 10માંથી ફક્ત 1 - મહિલાઓનું કહેવું છે કે તેમને ખૂબ સ્વતંત્રતા મળે છે. બહુમતીની ભારતીય મહિલાઓએ આજે પણ તેમના ગામની ગ્રામસભા, રાજકીય રેલી, કેમ્પેઈનમાં જવા, સ્થાનિક નેતા સાથે સંવાદ કરવા, કોઈ મુદ્દાના વિરોધમાં જોડાવા વગેરે માટે તેના પતિ અથવા ઘરના ઉંમરના મોટી ઉંમરના સભ્યોની પરવાનગી લેવી પડે છે.
આ પરીક્ષણમાં મહિલાઓના મતદાનથી લઇને તેમને રાજકીય નેતા તરીકે કારકિર્દી બનાવવા સુધીના વિચારો ઉપર તેમના મંતવ્યો લેવામાં આવ્યા. માર્ચથી એપ્રિલ 2019માં બિહાર, ગુજરાત, હરિયાણા, પંજાબ, કેરળ, મિઝોરમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને દિલ્હી NCR જેવા 11 રાજ્યોની 6348 મહિલાઓને આ પરીક્ષણ અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવ્યા.
શું ભારતીય મહિલાઓ રાજકારણમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે?
રાજકીય ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છે છે
28%
રાજકીય ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છતી નથી
61%
કોઈ અભિપ્રાય નથી
12%
28% મહિલાઓએ રાજકારણમાં કારકિર્દી બનાવવા રાજકારણમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે જયારે 10 માંથી 6 મહિલાઓએ આ આઈડિયા ઉપર ઘસીને ના પાડી દીધી.
આ માટે જયારે મહિલાઓને કારણો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે ઘરકામની જવાબદારી, બાળકોને સાચવવા, જમવાનું બનાવવું, રાજકારણમાં રસ ન હોવો, જાગૃતિ ન હોવી, શિક્ષણ ન હોવું જેવા પારાવારિક અને અંગત કારણોને મુખ્ય પરિબળો જણાવ્યા હતા. આ ઉપરાંત પરંપરાગત કારણો જેવા કે મહિલાઓને બીજા પુરુષો સાથે વાત ન કરવા દેવી, પડદાપ્રથા, આવા જવા પર પ્રતિબંધ વગેરે કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
આ ઉપરાંત એ મહિલાઓ જ રાજકારણમાં સફળ થઇ શકે છે જે સમાજના ઉપલા સ્તરમાંથી આવતી હોય અર્થાત જે પૈસાદાર હોય અને જે ઉજળી જ્ઞાતિમાંથી આવતી હોય છે અને રાજકીય પરિવારમાંથી આવતી હોય તેવી જ સ્ત્રીઓ સફળ થઇ શકે એવી માન્યતા પણ આ પાછળ જવાબદાર છે.