બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:21 PM, 2 April 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા ગંભીર તેલ સંકટને ઉકેલવા બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે 60 દેશોની હાઈ-લેવલ બેઠક બોલાવી હતી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકમાં ભારતીય નાવિકોના મોત અને ઉર્જા પુરવઠામાં પડતા વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રસપ્રદ વાત એ છે કે અમેરિકા આ બેઠકથી દૂર રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ બ્રિટને આ કૂટનીતિક પહેલ કરી છે. વિશ્વનો ૨૦% ઉર્જા પુરવઠો આ માર્ગે પસાર થાય છે અને હાલમાં ત્યાં 2000 થી વધુ ટેન્કરો અટવાયેલા છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં એલપીજી (LPG) અને ક્રૂડ ઓઈલની અછતનો ડર ઉભો થયો છે.
ADVERTISEMENT
Foreign Secretary Vikram Misri represented India at a meeting convened by the UK Foreign Secretary on the situation in West Asia. More than 60 countries participated in the meeting.
— ANI (@ANI) April 2, 2026
In his remarks at the meeting, the Foreign Secretary noted the importance of the principles of… pic.twitter.com/R1B6djgY8Q
આ બેઠકની પૃષ્ઠભૂમિમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચેનો વાકયુદ્ધ મુખ્ય છે. ટ્રમ્પે બ્રિટનને આડકતરી ધમકી આપી હતી કે જો તેઓ આ યુદ્ધમાં અમેરિકાનો સાથ નહીં આપે, તો ભવિષ્યમાં કોઈ મદદની અપેક્ષા ન રાખવી. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો બ્રિટનને તેલ જોઈતું હોય તો તેઓ પોતે જઈને હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવે અથવા અમેરિકા પાસેથી તેલ ખરીદે. આ નિવેદનના જવાબમાં પીએમ સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું હતું કે "આ અમારું યુદ્ધ નથી" અને વૈશ્વિક સહયોગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ૬૦ દેશોને એકઠા કર્યા હતા. અમેરિકાની ગેરહાજરી આ બેઠકમાં ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
ADVERTISEMENT

ભારતના દ્રષ્ટિકોણથી હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ અત્યંત નિર્ણાયક છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બેઠક દરમિયાન 'નેવિગેશનની સ્વતંત્રતા' (Freedom of Navigation) નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખાડીમાં થયેલા હુમલાઓમાં ભારતીય નાવિકોના મોત થયા છે, જે ભારત માટે અસહ્ય છે. ભારતે તણાવ ઓછો કરવા માટે સૈન્ય કાર્યવાહીના બદલે કૂટનીતિ અને સંવાદ પર ભાર મૂક્યો હતો. ભારત માટે આ રસ્તો એટલે મહત્વનો છે કારણ કે દેશનું અંદાજે ૪૦% ક્રૂડ ઓઈલ, ૫૦% એલએનજી (LNG) અને ૮૦% થી વધુ એલપીજી (LPG) આ સાંકડા દરિયાઈ માર્ગે જ ભારત પહોંચે છે.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં વિશ્વના સૌથી મોટા 'ચોકપોઈન્ટ' માં ફેરવાઈ ગયું છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના વિરોધમાં આ માર્ગ બંધ કરી દીધો છે, જેના પરિણામે અંદાજે ૨,૦૦૦ ઓઈલ ટેન્કરો દરિયાની વચ્ચે ફસાયા છે. જોકે, ભારત માટે રાહતની વાત એ છે કે ઈરાને ભારતના કેટલાક ટેન્કરોને પસાર થવાની મંજૂરી આપી છે, જે ભારતના ઈરાન સાથેના મજબૂત કૂટનીતિક સંબંધો દર્શાવે છે. તેમ છતાં, જો આ નાકાબંધી લાંબી ચાલે તો ભારતમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી શકે છે અને ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે.
આ પણ વાંચોઃ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
ADVERTISEMENT
આ મહાબેઠક એ વાતનો સંકેત છે કે વિશ્વના મોટાભાગના દેશો હવે અમેરિકાની યુદ્ધખોર નીતિથી અલગ થઈને શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. 60 દેશોનું એક મંચ પર આવવું એ ઈરાન પર પણ દબાણ બનાવશે કે તે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વગર વાટાઘાટો માટે તૈયાર થાય. ભારત અત્યારે આ સમગ્ર વિવાદમાં 'તટસ્થ મધ્યસ્થી' તરીકે ઉભરી રહ્યું છે, જે એક તરફ ઈરાન સાથે વાત કરી શકે છે અને બીજી તરફ પશ્ચિમી દેશો સાથે પણ સહયોગ કરી શકે છે. આગામી દિવસોમાં આ ગ્લોબલ સમિટના પરિણામો શું આવે છે તેના પર આખી દુનિયાની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.