બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 250 years old right sunda Ganpati in aravalli modasa
Vaidehi
Last Updated: 07:15 AM, 25 January 2024
Aravali : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધુણાઈ રોડ પર પૌરાણિક સ્વયંભૂ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે. ગણપતિનું સ્વરૂપ 250 થી વધુ વર્ષ જૂનું છે. હાલ જ્યાં મંદિર છે ત્યાં વર્ષો પહેલા જંગલ હતું. મોડાસા શહેરના નગરશેઠને માજુમ નદીના કિનારે એક ખેતરમાંથી જમણી સૂંઢના ગણપતિ ભગવાનનું આ સ્વરૂપ મળ્યું હતું. નગરશેઠે ગણપતિ સ્વરૂપને મોડાસાના ધુણાઈ રોડ પર નાની ડેરી બનાવી બિરાજમાન કર્યા હતા.
ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મંદિર
જમણી સૂંઢના ગણપતિનું ઉત્તર ગુજરાતમાં આ એકમાત્ર મંદિર હોવાથી દિવસે દિવસે ભક્તોની સંખ્યા વધી રહી છે. અને ભગવાન ગણપતિના અનેક પરચાઓ ભક્તોને થઈ રહ્યાં છે તેથી મંદિરનું ટ્રસ્ટ બનાવી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગણપતિનું આવું સ્વરૂપ મુંબઇનાં સિદ્ધિવિનાયક મંદિર જેવું જ અલૌકિક છે. મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે દર ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ સુધી દસ દિવસ સુધી ભગવાન ગણપતિનો ભવ્ય મહોત્સવ ઉજવાય છે. શહેરીજનો પોતાના દરેક કામની શરૂઆત કરતા પહેલા સિદ્ધીવિનાયકના દર્શન અવશ્ય કરે છે.
1008 લાડુની આહુતી
મોડાસાના સિદ્ધિ વિનાયક ગણપતી મંદિર યુવા ગણેશ મિત્ર મંડળ અને ટ્રસ્ટ મંડળ દ્વારા મહોત્સવ દરમિયાન ગણેશ યજ્ઞ યોજવામાં આવે છે. જેમાં 1008 લાડુની અથરવશેષના સ્તોત્ર વડે આહુતિ આપવામાં આવે છે.મહોત્સવ દરમ્યાન ભગવાન ગણપતિનો દૂધ પંચામૃત તેમજ શેરડીના રસ વડે અભિષેક કરવામાં આવે છે. અને મહોત્સવ દરમ્યાન ભકતોની ભારે ભીડ પણ જામે છે.
અરવલ્લી જિલ્લામાં મોડાસાના સિદ્ધીવિનાયક મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા વર્ષ દરમિયાન આવતી અંગારકી ચોથના દિવસે મહાપૂજા કરવામાં આવે છે. મંદિરના મહંત દ્વારા અંગારકી ચોથના દિવસે રાત્રે સંકટ નાશક ગણપતિ સ્તોત્ર વડે પૂજન, અર્ચન અને અભિષેક કરવામાં આવે છે. અને ગણેશ મહાયોગ પણ કરવામાં આવે છે. સાથે વેદના મંત્રો વડે ભૂદેવો દ્વારા સહસ્ત્ર મોદકનો હોમ આપવામાં આવે છે.
ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે
મંદિરે દર્શને આવતા ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ગણપતિ મહોત્સવને ટ્રસ્ટ દ્વારા ભારે હર્ષ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે દરરોજ અનેક ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને ભગવાન ગણપતિ તમામની મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવયુવાન અબાલ વૃદ્ધ સૌ કોઈ દૂર દૂરથી ભગવાન ગણપતિના દર્શને આવે છે અને જમણી સૂંઢના વિનાયકના દર્શન કરી ધન્ય બને છે. મંગળવાર ભગવાન ગણપતિનો વાર મનાય છે. એટલે મંગળવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ઘણા ભાવિકો મંગળવારે ચાલતા આવી પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime