બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:33 AM, 29 May 2023
ADVERTISEMENT
RBIએ 2000ની નોટો સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાની જાહેરાત ક્યારે થઈ, ત્યારથી સામાન્ય માણસની સાથે-સાથે વેપારીઓ પણ આ નોટોનો ખર્ચ કરવાને લઇ ચિંતામાં છે. 2000ની નોટો બદલવા માટે લોકો બેંકોમાં લાઇનો લગાવી રહ્યા છે. જો કે આ નોટ લિગલ ટેન્ડર બનેલા રહેશે, પછી પણ મોટાભાગના લોકો અને વ્યાપારી આ નોટોને લઇને લાઇનોમાં રહે છે. તેવામાં સામાન્ય માણસને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમારી પાસે કોઇ 2000 રુપિયાની નોટ લેવાની ના પાડે તો તમે તેના વિરુદ્ધ ફરીયાદ નોંધાવી શકો છો.
છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર 2000ની નોટ લઇ પહોંચી રહ્યા છે. જો કે પંપ સંચાલકો આ નોટોને સ્વીકાર કરી રહ્યા છે, પરંતુ ખુલ્લા પૈસાની અછતથી પીડાઇ રહ્યા છે. પરંતુ એવી ખબરોમાં આવી છે કે તેમ છંતા કોઇ દુકાનદાર 2000ની નોટ લેવાની મનાઇ કરે તો તેવામાં તમે આ દુકાનદારોના વિરુદ્ધમાં ફરીયાદ કરી શકો છો.
ADVERTISEMENT

ક્યા અને કેવી રીતે કરવી ફરીયાદ
2000ની નોટો બદલવાને લઈને ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે, જો કોઈ બેંક તેને લેવાનો ઈન્કાર કરે તો તમે સંબંધિત શાખાના મેનેજરને ફરિયાદ કરી શકો છો. જો તમે બેંકના જવાબથી સંતુષ્ટ ન હોય અથવા કોઈ વિલંબ થયો હોય, તો તમે રિઝર્વ બેંકની વેબસાઈટ cms.rbi.org-.in પર જઈને તેની ફરિયાદ કરી શકો છો. જો કે, બેંકોએ 30 દિવસની અંદર દરેક ફરિયાદનો જવાબ આપવો પડશે.
ADVERTISEMENT
આ સિવાય વ્યક્તિ RBIની ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે. તમે પુરાવા સાથે દુકાનદારને ફરિયાદ કરી શકો છો. આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ બેંક, સંસ્થા કે દુકાનદાર 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ સ્વીકારવાનો ઈન્કાર કરી શકે નહીં, કારણ કે આ નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી નથી. કાયદાકીય નિષ્ણાતોના મતે, ભારતીય દંડ સંહિતા હેઠળ કોઈપણ નોંધની જાહેરાત કરવા માટે પ્રતિબંધિત નથી અને તેનો સ્વીકાર ન કરવો તે કલમ 188 અને કલમ 124A (રાજદ્રોહ) હેઠળ સજાને પાત્ર હોઈ શકે છે.

ADVERTISEMENT
લોકોએ ઉઠાવ્યો અવાજ
મીડિયા રિપોર્ટ મુજબ, હૈદરાબાદમાં ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે ત્યાંના સ્થાનિક દુકાનદારો 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઘણા લોકોએ કહ્યું કે આ લોકો ખુલ્લેઆમ રિઝર્વ બેંકના નિયમોની અવગણના કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટો બેંકમાં બદલી શકાશે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થઈ છે. જો કે, તમે એક સમયે 20,000 રૂપિયા સુધી એટલે કે માત્ર 10 નોટો જ બદલી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT