બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગર પટમાં ખાડાઓએ લીધી બે નિર્દોષોનો લીધો જીવ
Last Updated: 09:42 PM, 5 April 2026
આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનનની ભયાનક અસર ફરી એકવાર સામે આવી છે. મહીસાગર નદીના પટમાં સર્જાયેલા ખાડાઓએ બે નિર્દોષ યુવાનોનું જીવન છીનવી લીધું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ADVERTISEMENT

બે યુવકોના મોત નિપજ્યા
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારની રજા માણવા માટે નદીકાંઠે ગયેલા યુવકોને ખનનના કારણે ઊભા થયેલા ઊંડા ખાડાઓની જાણ નહોતી. નદીનું શાંત દેખાતું પાણી અંદરથી મોતનો ફાંસો સાબિત થયું. અચાનક ઊંડાણમાં જતા બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા અને બચી શક્યા નહીં. આ દુર્ઘટનાએ બે પરિવારોના કૂળદીપકો ઓલવી દીધા.

ADVERTISEMENT
નદીમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહીસાગર નદીમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. ખનન માફિયાઓ દ્વારા નદીના પટને ખોખલો બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે જોખમી ખાડાઓ ઊભા થયા છે. લોકોનો આરોપ છે કે હપ્તાખોર અધિકારીઓની રહેમનજર હેઠળ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ધડાધડ ચાલી રહી છે.
ADVERTISEMENT

તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા
ADVERTISEMENT
આ ઘટનાએ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ કડક કાર્યવાહી ન થતા ખનન માફિયાઓ બેફામ બની ગયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે જો સમયસર પગલાં લેવાયા હોત તો આજે બે યુવાનોને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસે 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
ADVERTISEMENT
તાત્કાલિક ગેરકાયદે ખનન પર રોક લગાવવાની સ્થાનિકોની માંગ
આ દુર્ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમણે તાત્કાલિક ગેરકાયદે ખનન પર રોક લગાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. સાથે જ નદીકાંઠે સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરવાની પણ માંગ ઉઠી છે. મહીસાગરનો પટ હવે માત્ર નદી નહીં રહ્યો. પરંતુ નિર્દોષોની કબર બની રહ્યો છે. જો તંત્ર હજુ પણ ચૂપ રહેશે, તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની ભીતિ યથાવત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.