બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 12 Gujaratis who went on pilgrimage to Kailas Mansarovar stranded in Uttarakhand, seek help from government
Last Updated: 03:53 PM, 11 October 2022
ADVERTISEMENT
ગુજરાતથી કૈસાલ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતીઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુંજીમાં છ દિવસથી ફસાયેલા ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે તેઓએ કપરી પરિસ્થિતીમાં રાજ્ય સરકાર પાસે મદદ પણ માગી છે
CM ભૂપેન્દ્ર પટેલ પાસે મદદ માગી
12 જેટલા ગુજરાતીઓ ખરાબ હવામાનના કારણે છ દિવસ જેટલા સમયથી ગુંજીમાં ફસાયેલા છે તેમણે વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ પાસે મદદ પણ માગી છે
ADVERTISEMENT
ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધ્યો
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સરકાર પાસ મદદ માગી હતી જે બાબતે ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે. ફસાયેલા નાગરિકોને સુવિધાઓ બાબતે પણ વહીવટી તંત્ર સાથે સરકારે ચર્ચા કરી છે. ખરાબ વાતાવરણના પગલે રસ્તો બંધ હોવાના કારણે વાહનવ્યવહાર પર અસર હોવાથી યાત્રાળુંઓ ફસાયાની માહિતી મળી રહી છે
સરકાર તરફથી જવાબ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર તા. 11/10/2022 ના રોજ રાહત કમિશનરમારફત મળેલ સુચના અનુસાર ઉત્તરાખંડ ખાતે પિથોરગઢ જિલ્લામાં આવેલ કુમાઉં મંડલ વિકાસ નિગમ કેમ્પ, ગુંજી ખાતે આદિ કૈલાશ યાત્રા પર ગયેલ અંદાજિત 25 થી 40 ગુજરાતી પ્રવાસીઓ ગયેલ જે બાબતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી આ બાબતે પરિસ્થિતિ અંગે પિથોરગઢ જિલ્લાના ડિઝાસ્ટર સંબંધિત અધિકારી સાથે સંપર્ક કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે અને ભોજન, મેડિકલ તેમજ રહેવાની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફક્ત ખરાબ હવામાન તેમજ રોડ બંધ હોવાના લીધે તેઓને નીચે ઉતરવાના વાહનવ્યવહાર હાલ પૂરતા બંધ છે જે એક થી બે દિવસમાં પુનઃ કાર્યરત થયે તમામને સત્વરે સલામત રીતે પરત લઈ આવી શકાશે તેમ જણાવેલ છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.