બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 03:28 PM, 23 August 2023
ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ હાઈ રહેવું તે એક ચિંતાનો વિષય છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સવારના સમયે બ્લડ શુગર લેવલ વધુ હોય છે. સવારના સમયે બ્લડ શુગર લેવલ હાઈ શા માટે હોય છે? જે માટેના કારણ અહીંયા જણાવવામાં આવ્યા છે.
સવારે બ્લડ શુગર હાઈ રહેવાનું કારણ
સવારે શરૂઆતના કલાકોમાં બ્લડ શુગર હાઈ હોવાના અનેક કારણો હોય છે. શરીરમાં અનેક હોર્મોનલ ઈન્ટરએક્શન થાય છે. આ એક નેચરલ રીત છે, જેના કારણે સવારે બ્લડ શુગર હાઈ હોય છે.
હોર્મોનલ રિલીઝ
સવારના સમયે શરીર કોર્ટિસોલ, ગ્રોથ હોર્મોન અને એડ્રેનાલાઈન જેવા હોર્મોન રિલીઝ કરે છે. આ હોર્મોન ગ્લુકોઝનું નિર્માણ કરીને લિવર ઉત્તેજિત કરે છે, જેના કારણે બ્લડ શુગર લેવલ વઝી જાય છે. આ પ્રક્રિયાને ગ્લૂકોનિયોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેથી શરીર આખા દિવસ માટે તૈયાર થઈ શકે છે અને શરીરમાં એનર્જી ફીલ થાય છે.
સવારના સમયે ઈન્સ્યુલિનની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે. જેના પરિણામસ્વરૂપે લોહીના પરિભ્રણથી કોશિકાઓ સુધી ગ્લુકોઝ પહોંચાડવામાં ઈન્સ્યુલિનની અસર ઓછી થઈ જાય છે. સંવેદનશીલતા ઓછી હોવાને કારણે બ્લડ શુગર વધી શકે છે.
રાતના સમયે ઉપવાસ
સૂતા સમયે શરીર ઉપવાસના ચરણમાં પ્રવેશ કરે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ભોજનની કમીને કારણે ઈન્સ્યુલિન ક્રિયા યોગ્ય પ્રકારે થઈ શકતી નથી, જેના કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે.
સવારે બ્લડ શુગર કેવી રીતે મેનેજ કરી શકાય
સવારના સમયે બ્લડ શુગર લેવલ મેનેજ કરવા માટે લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. જે માટે અહીંયા જણાવવામાં આવ્યું છે.
સૂતા સમયે સતત નાશ્તો
નિષ્ણાંતો અનુસાર સૂતા પહેલા થોડો નાશ્તો કરવાથી આખી રાત બ્લડ શુગર સ્થિર રહે છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું મિશ્રણ હોય તેવા નાશ્તાનું સેવન કરવું જોઈએ. જેમ કે, પનીરની સાથે આખુ અનાજ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime