બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ફેશન અને સૌંદર્ય / Why does the bridegroom always go to the wedding sitting on a white horse? Not 'Royal Entry' but the real reason
Vishal Khamar
Last Updated: 07:41 PM, 22 August 2023
વરરાજાને લગ્નના દિવસે સફેદ ઘોડી પર બેસાડવામાં આવે છે. આ રિવાજ સદીઓથી ચાલતો રહ્યો છે. પરંતુ આની પાછળનું કારણ આજના સમયમાં કદાચ જ કોઈ જાણે છે. લગ્નમાં ઘણા રીતરિવાજ હોય છે અને બધાનો પોતાનો ખાસ અર્થ અને મહત્ત્વ હોય છે. ઘણી વિધિ એવી પણ હોય છે, જેના દ્વારા દુલહનની વિદાય સુધીમાં વરરાજાની કાબેલિયતની જાણ થઈ શકે છે. આવી જ એક વિધિ છે. ઘોડી પર બેસવાની. આમાં વરરાજાને સફેદ ઘોડી પર બેસાડીને લગ્નસ્થળ સુધી લઈ જવામાં આવે છે. વરરાજા સાથે એક નાનું બાળક પણ હોય છે. જેને 'સહબાળ' કહેવામાં આવે છે. આમ તો આ રિવાજ હિંદુ લગ્નમાં સદીઓથી ચાલતો આવ્યો છે. એવું માનવામાં આવે છે કે રામાયણ અને મહાભારતકાળમાં પણ આનું ચલણ હતું. પરંતુ બહુ ઓછા લોકો આની પાછળનું કારણ જાણે છે. તમે પણ વરરાજાને સફેદ ઘોડી પર બેસાડીને લગ્નમાં જવાને 'રોયલ એન્ટ્રી' કરવાની માત્ર સ્ટાઇલ જ માનતા હશો. પરંતુ આજે અહીં એની પાછળનું સાચું કારણ જાણીએ.
ટ્રેનિંગ વિના ઘોડાને કાબૂમાં રાખવો બહુ મુશ્કેલ કામ
સફેદ ઘોડીને શુદ્ધતા, વ્યવહારિકતા, પ્રેમ, ફર્ટિલિટી, ઉદારતા, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ્યારે છોકરો લગ્ન કરીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જાય છે ત્યારે તે સફેદ ઘોડી પર જ બેસે છે. ઘોડો વધારે ગુસ્સાવાળા સ્વભાવનો હોય છે. ટ્રેનિંગ વિના ઘોડાને કાબૂમાં રાખવો બહુ મુશ્કેલ કામ છે. જૂના જમાનામાં આ જ કારણસર યુદ્ધ વખતે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો, પરંતુ લગ્ન માટે શક્તિ નહીં પણ સમર્પણની જરૂરિયાત હોય છે. આથી વરરાજાને ઘોડા પર નહીં, પરંતુ ઘોડી પર બેસાડીને લગ્નસ્થળે લઈ જવામાં આવે છે.
ઘોડી પર ચઢવાનો અર્થ થાય છે કે છોકરો હવે પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર છે. આથી તે પોતાના વૈવાહિક જીવનની ભાગદોડ સારી રીતે સંભાળી શકશે કે નહીં તે સાબિત કરવા વરરાજાને ઘોડી પર બેસવું પડે છે.
ઘોડા કરતાં ઘોડીને સંભાળવી પ્રમાણમાં વધુ આસાન હોય છે. ઘોડી વધુ ચંચળ, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ હોય છે. આથી જ્યારે વરરાજા ઘોડી પર ચઢી જાય છે ત્યારે એવું સમજવામાં આવે છે કે તેણે પોતાના નાદાન વ્યવહાર પર કાબૂ મેળવી લીધો છે અને લગ્નજીવનની જવાબદારીઓને સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime