બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / KKR કેમ હારી ગઈ મેચ, અજિંક્ય રહાણેએ આપ્યું હારનું સૌથી મોટું કારણ, નિવેદનથી ખળભળાટ
Last Updated: 07:50 AM, 22 April 2025
આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ફરીએકવાર નિષ્ફળ ગઇ, ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સને વધુ એક હારનો સામનો કરવો પડ્યો. સોમવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ગુજરાત ટાઇટન્સનો 39 રને વિજય થયો
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવી 198 રન બનાવ્યા હતા.. જેમાં શુભમન ગીલના 90 રન સુદર્શનના 52 રન અને જોસ બટલરના 41 રન મુખ્ય હતા.. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 159 રન બનાવી શક્યુ હતું..અને 39 રને તેની હાર થઇ હતી.. કોલકાતા નાઇટ રાઇડર્સમાં અંજિક્ય રહાણે કે જેણે 50 રન ફટકાર્યા તેના સિવાય કોઇનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું ન હતું..
આ પણ વાંચોઃ VIDEO : વૈભવ અરોરા પર ભડક્યો હર્ષિત રાણા, બટલરનો કેચ છૂટતા લગાવી ફટકાર
ADVERTISEMENT
હાર પર અજિંક્ય રહાણેએ કહ્યું
મને લાગ્યું કે આ વિકેટ પર ૧૯૯ રનનો પીછો કરવો એ એક મોટો પડકાર હતો, અમે ખરેખર સારી બોલિંગ કરી, પણ અમે અમારી બેટિંગમાં નિષ્ફળ ગયા. અમારે શક્ય તેટલું ઝડપથી શીખવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. જ્યારે તમે મોટા લક્ષ્યનો પીછો કરી રહ્યા હોવ છો, ત્યારે તમે શરૂઆતના બેટ્સમેનોથી સારી શરૂઆતની અપેક્ષા રાખો છો. બેટિંગ યુનિટ તરીકે અમે તેમાં સુધારો કરવા માંગીએ છીએ, અમારા બોલરો સામે કોઈ ફરિયાદ નથી. બોલરો એક પછી એક મેચમાં શાનદાર કામ કરી રહ્યા છે. ફિલ્ડિંગ એક એવો ભાગ છે જેને હું હંમેશા માનું છું કે આપણે એક ટીમ તરીકે નિયંત્રિત કરી શકીએ છીએ. જો તમે મેદાન પર 10-15 રન બચાવી શકો છો. તેથી તે હંમેશા ટીમ માટે સારું હોય છે.
વાત હંમેશા ઇરાદા અને વલણની હોય છે, તમારે 20 ઓવર દરમિયાન સંપૂર્ણપણે સક્રિય રહેવું પડશે, ત્યાં જ અમે નબળા છીએ. પરંતુ ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.