બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / Where is seasonal rain forecast in Gujarat? Four army men were martyred, I am left alone and said that I committed suicide.
Vishal Khamar
Last Updated: 11:30 PM, 24 November 2023
રાજ્યમાં ધીમીધારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થઈ છે. મહત્વનું છે કે, 4 દિવસ બાદ 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. આ સાથે અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ટફ ભુજમાં 19.2, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ડીસામાં 21, વડોદરામાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ અને સુરતમાં 24, રાજકોટમાં 24.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.
આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડીસામાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના ડીસા એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
દિવાળીના તહેવારો બાદ હવે રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાયું છે. જેથી હવે શિયાળુ સિઝનમાં પંથકના ખેડૂતોને પિયત માટે પાણીની કોઈ તકલીફ નહીં રહે. સિંચાઇ વિભાગના આ મોટા નિર્ણયથી 7 જિલ્લાઓના ખેડૂતોને મોટો લાભ થશે.
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળી અત્યારે લોકોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ત્યારે અમદાવાદમાં નાફેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોંઘવારીના મારથી બચવા માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે ડુંગળીના વધતા જતા ભાવો વચ્ચે સરકાર હવે સસ્તા ભાવમાં ડુંગળીનું વેચાણ કરી રહી છે.. જે નિણર્યને લોકો આવકારી રહ્યા છે.
રાજ્યમાં વધુ એકવાર પીઝા રેસ્ટોરન્ટમાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વિગતો મુજબ અગાઉ પણ અમદાવાદ અને અનેક શહેરોમાં પીઝામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ તરફ વધુ એક પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ સ્થિત બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. જેથી ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી.
દિવાળી બાદ હવે પાસપોર્ટ અરજદારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. વિગતો મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. નોંધનિય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી.
જમ્મૂ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની ફાયરિંગ દરમિયાન સેનાનાં 4 જવાનો બુધવારે શહીદ થયાં છે. પોલીસે જણાવ્યું કે ધર્મસાલનાં બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી અને તપાસ દરમિયાન આતંકવાદીઓ સાથે મુઠભેડ શરૂ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે મુઠભેડમાં એક અધિકારી, એક સૈનિકનો જીવ ગયો જ્યારે એક અન્ય સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયાં છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ડીપફેક અને ખોટી માહિતીનો સામનો કરવા માટે નવો કાયદો લાવવાનું વિચારી રહી છે. કેન્દ્રીય મંત્રીએ ગુરુવાર અને શુક્રવારે સોશિયલ મીડિયા કંપનીઓના અધિકારીઓ સાથે બે અલગ-અલગ બેઠક પણ બોલાવી છે. ગુરુવારે મળનારી બેઠકમાં ફોટો-વીડિયોમાં છેડછાડ અંગે ચર્ચા કરવામાં આવશે, જ્યારે શુક્રવારની બેઠકમાં આઈટી નિયમોના પાલન અંગે ચર્ચા કરવામાં આવશે. એક અહેવાલ મુજબ ચંદ્રશેખરે કહ્યું કે ઈન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સશક્તિકરણ કરી રહ્યા છે. પરંતુ તેનો ઉપયોગ નુકસાન પહોંચાડવા, સમાજમાં તણાવ પેદા કરવા, અરાજકતા ફેલાવવા અને હિંસા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ડીપફેક્સ એ ભારતીય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે ખૂબ જ તાત્કાલિક, સ્પષ્ટ અને વર્તમાન ખતરો છે. તે ડીપફેકના દુરુપયોગથી સંબંધિત તાજેતરના કેસોનો ઉલ્લેખ કરી રહ્યો હતો.
ઇઝરાયેલ સરકારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થી કરારને મંજૂરી આપી દીધી છે, જેના પછી ગાઝામાં યુદ્ધ થોડા સમય માટે બંધ થઈ જશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનેલા કેટલાક લોકોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાયેલ અસ્થાયી રૂપે યુદ્ધ બંધ કરશે. જો કે, આ ડીલ વિશે હજુ બધું સ્પષ્ટ નથી. પહેલા આ ડીલ વિશે જાણીએ જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ ઇઝરાયેલ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે - કેબિનેટે એક કરારને મંજૂરી આપી છે જેના હેઠળ ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા ઓછામાં ઓછા 50 બંધકોને મુક્ત કરવામાં આવશે. તેના બદલામાં ચાર દિવસીય યુદ્ધવિરામ થશે. નિવેદનમાં ઇઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જોકે આ સમજૂતીનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું માનવામાં આવે છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે આ સોદાને ઇઝરાયેલી કેબિનેટ દ્વારા ભારે બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.
ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ અને તમામ 10 ફ્રેન્ચાઈઝીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ હરાજી ડિસેમ્બરમાં કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. 10 ખેલાડી એવા હશે, જે આ લિસ્ટનો હિસ્સો નહીં હોય, પરંતુ IPL 2024માં તેમની હરાજી પર મોટો દાવ રમવામાં આવશે.
નવેમ્બર મહિનો એટલે કે વેડિંગ સીઝન. બોલીવૂડ જગતમાંથી પણ સ્ટાર્સનાં સગાઈ-લગ્નનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. એક પછી એક સેલિબ્રિટિઝ પોતાનાં બેટર હાલ્ફ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ રહ્યાં છે.હાલમાં જ એક્ટર અલી મર્ચેંટ, અમાલા પોલ અને નેહા બગ્ગાએ પોતાના જીવનસાથીને પસંદ કર્યાં. તેવામાં રતિ અગ્નિહોત્રીનો પુત્ર અને બોલિવૂડ એક્ટર તનુજ વિરવાનીએ પણ પોતાની મંગેતર સાથેનાં સગાઈનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યાં છે. લોન્ગ ટાઈમથી ડેટ કરી રહેલા આ કપલે હવે ઓફિશિયલી સગાઈ કરી લીધી છે.
ભરૂચમાં આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં મોદીપાર્ક નજીક આવેલ દેવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય આધેડે એકલવાયા જીવનથી કંટાળી જઈ આયખું ટૂંકાવી લેતા અરેરાટી મચી ગઈ છે. આધેડે અંતિમ પગલું ભરી લીધા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime