બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / What is the accused saying about the open murder of Atiq-Ashraf?
Priyakant
Last Updated: 08:48 AM, 16 April 2023
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પછી એક પછી એક નવી વાત સામે આવી રહી છે. સૂત્રોનું માનીએ તો ખુલ્લેઆમ મર્ડર કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અતીક-અશરફની હત્યા કેમ કરી તે અંગે મોટું નિવેદન આપ્યું છે. સૂત્રો મુજબ આરોપીઓએ પોલીસને કહ્યું છે કે, માફિયા અતીકના પાકિસ્તાન સાથે સંબંધ હતા. તેણે અને તેની ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો હતો અને તેની સામે જુબાની આપનારને પણ છોડતો ન હતો. તેનો ભાઈ અશરફ પણ આ કામ કરતો હતો તેથી અમે બંનેની ગોળી મારી હત્યા કરી છે.
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના આરોપીઓ આ પહેલા અલગ-અલગ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે. પોલીસ એ પણ શોધી રહી છે કે, આરોપી ક્યારે અને કેવી રીતે પ્રયાગરાજ આવ્યો હતો. તેના સ્થાનિક મદદગારો કોણ છે ? જણાવવામાં આવ્યું છે કે, લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જૂના હમીરપુરનો સની અને કાસગંજનો અરુણ મૌર્ય છે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે. કેમેરા અને આઈડી સાથે આરોપી ક્યારે અને કેવી રીતે હોસ્પિટલમાં દાખલ થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
After Atiq Ahmed, Ashraf shot dead, police beef up security in UP
— ANI Digital (@ani_digital) April 16, 2023
Read @ANI Story | https://t.co/7r1twoeOpz#AtiqAhmed #AtiqAhmedshotdead #UttarPradesh #UttarPradeshPolice #AshrafAhmed #AtiqueAhmed pic.twitter.com/6bZ9LdBA0K
પાકિસ્તાન કનેક્શન ?
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય અલગ-અલગ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. અધિકારીઓએ જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે પહેલા અલગ-અલગ નિવેદનો આપ્યા, પરંતુ કડક પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કહાની સંભળાવી. તેમણે કહ્યું કે, માફિયા અતીકના માત્ર પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધ નથી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું હતું. અતીક ગેંગના લોકો સતત લોકોને હેરાન કરતા હતા અને તેમની હત્યા પણ કરતા હતા. જેના કારણે લોકો ડરી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime