મરાઠી અખબાર સામનાએ આજે કહ્યું કે, "પરિણામ એ સાબિત કરે છે કે મોદી-શાહ પાસે સંપૂર્ણ સિસ્ટમ અને બધી તકનીકીઓ હોવા છતાં અજેય નથી."
બંગાળ ચૂંટણીને લઈને સાધ્યું નિશાન
સામનાએ લખ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રીનું એકમાત્ર લક્ષ્ય ચૂંટણી જીતવાનું હતું
બધી ટેક્નિકસ અને સંપૂર્ણ સિસ્ટમ હોવા છતાં મોદી શાહ અજેય નથી
શિવસેનાએ સોમવારે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અજેય નથી. શિવસેનાના મુખપત્ર 'સામના' માં પ્રકાશિત સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ થઈ ત્યાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નજર પશ્ચિમ બંગાળ પર હતી.
કેન્દ્ર સરકાર અભિયાન ચલાવી રહી હતી
પાર્ટીએ કહ્યું કે, " કોરોના મહામારી સામે લડવાને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર કેન્દ્ર સરકાર સીએમ મમતા બેનર્જીને પરાજિત કરવા માટે પશ્ચિમ બંગાળમાં અભિયાન ચલાવી રહી હતી." મમતા બેનરજીની પાર્ટીએ રવિવારે બંગાળમાં સતત ત્રીજી ચૂંટણી જીતી લીધી હતી.
મરાઠી અખબાર સામનાએ કહ્યું હતું કે, "પરિણામ એ સાબિત કરે છે કે મોદી-શાહ પાસે આખી સિસ્ટમ અને બધી ટેક્નિકસ હોવા છતાં અજય નથી." શિવસેનાએ પશ્ચિમ બંગાળની ચૂંટણી લડી નહોતી, પરંતુ બેનર્જીને ટેકો આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે સત્તા અને સરકારી તંત્ર અને પૈસાનો ઉપયોગ મમતા બેનર્જીને હરાવવા માટે કર્યો.
એક વાક્યમાં વિશ્લેષણ એ છે કે ભાજપ હારી ગઈ અને કોરોના વાયરસ જીત્યો
તેમણે કહ્યું, "પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામનું એક વાક્યમાં વિશ્લેષણ એ છે કે ભાજપ હારી ગઈ અને કોરોના વાયરસ જીત્યો." શિવસેનાએ કહ્યું કે, મોદી અને શાહ બંગાળ જીતવાના એકમાત્ર લક્ષ્ય સાથે ચૂંટણી પ્રચારમાં ગયા હતા અને તેઓએ આ માટે કોવિડ -19 સંબંધિત તમામ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરીને મોટી રેલીઓ અને રોડ શો કર્યા.
તેમણે કહ્યું કે મદ્રાસ હાઇકોર્ટે કોરોનાની નવીન લહેર માટે ચૂંટણી પંચને દોષી ઠેરવ્યું હતું. શિવસેનાએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનની જવાબદારી કોણ લેશે.તેમણે કહ્યું હતું કે આસામ અને પુડુચેરી સિવાય ભાજપે (અન્ય રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું નથી). સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, "પશ્ચિમ બંગાળના લોકોની કૃત્રિમ લહેરમાં પ્રભાવિત થયા વગર પોતાની પ્રતિષ્ઠા માટે એકજૂટ રહીને સાથે ઊભા રહેવા બદલ પ્રશંસા કરવી જોઈએ." દેશને બંગાળમાંથી શીખવું જોઈએ.