પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ચૂંટણી પરિણામો બાદ રવિવારે હિંસા ફરી શરૂ થઈ છે.
બંગાળમાં ફરીથી ભડકી હિંસા
ભાજપ કાર્યાલયને આગ ચાંપવાનો દાવો
ભાજપનો દાવો, ટીએમસીના ગુંડાઓએ કર્યું આ કામ
કોલકાતાના આરામબાગમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય સળગાવવાના સમાચાર આવ્યા છે, મહત્વનું છે કે આજે જાહેર થયેલ પરિણામમાં બંગાળ સીએમ મમતા બેનરજીએ ફરીથી એકવાર રાજ્યમાં મોટી જીત મેળવી છે જ્યારે કે ભાજપને તેની અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી. જો કે આ બધાની વચ્ચે ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણામો જાહેર થયા બાદ ટીએમસીના કાર્યકરોએ આરામબાગ સહિતની ઘણી જગ્યાઓ પર ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી છે.
બીજી તરફ, બાંકુરા જિલ્લાના વિષ્ણુપુરમાં ભાજપના એજન્ટના મકાનને આગ ચાંપવામાં આવી છે. બીજેપીનો આરોપ છે કે ટીએમસી સમર્થકોએ તેમની ઓફિસને આગ ચાંપી દીધી છે.
ભાજપ કાર્યાલયમાં આગની ઘટના બાદ રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક વીડિયો શેર કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ગુંડાઓ દ્વારા ભાજપ પાર્ટી કાર્યાલયો સળગવા માંડ્યા છે! આ ખૂબ નિંદાત્મક ઘટના છે, તંત્ર ક્યાં છે? લોકશાહીમાં વિજય કે હાર ચાલુ રહેશે પરંતુ હિંસા! લોકશાહીની હત્યા કરવાનું બંધ કરો!
તમને જણાવી દઇએ કે રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ભારે બહુમતીથી જીત મેળવી છે. જોકે, મતની ગણતરી હજી ચાલુ છે. ભાજપે ટીએમસી કાર્યકર્તાઓ પર પાર્ટી ઓફિસને આગ ચાંપી દેવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ટીએમસીએ આ તમામ આરોપોને નકારી દીધા છે.
As West Bengal poll results are being declared, TMC goons are attacking BJP offices & workers. BJP office in Arambagh was set on fire by TMC goons. TMC workers attacked BJP workers in Belaghat, similar incidents happened in Shivpur, Durgapur, Uttar Bardhaman: BJP's Sambit Patra pic.twitter.com/wEcKeVp7bw
મમતા બેનર્જીએ પક્ષ સમર્થકોને કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે વલણોમાં અવિરત વિજયનો સંકેત આપ્યો કે તે બંગાળનો વિજય છે, બંગાળના લોકોનો વિજય છે. અમારી પ્રથમ પ્રાધાન્યતા કોરોનાને લઈને છે. પશ્ચિમ બંગાળમાં વિજય પછી પહેલી વાર મમતા બેનર્જીએ કહ્યું કે વિજય પછી કોરોના નિયંત્રણ અમારી પ્રાથમિકતા હશે, હાલ કોઈ ઉજવણીની તેમણે મનાઈ કરી હતી. મમતા બેનરજીના પગની ઈજા પણ સારી થઈ ગઈ છે. મમતા બેનર્જીએ વ્હીલ ચેર છોડીને કહ્યું કે વિજય માટે તમારો આભાર. તે જ સમયે, મમતા બેનર્જીએ ટીએમસી સમર્થકો અને કાર્યકરોને અપીલ કરી કે તેઓ કોરોનાને કારણે વિજય સરઘસ ન કાઢે.