બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / મહારાષ્ટ્રમાં ચોમાસામાં કરો આ જગ્યાએ ટ્રેકિંગ, રોમાંચની સાથે મળશે ટાઈમ ટ્રાવેલ કરવાની તક
Last Updated: 10:17 AM, 6 July 2025
જો રોમાંચક ટ્રેકિંગની મજા કરવાની સાથે ઐતિહાસિક જગ્યા જોવાની ઈચ્છા હોય તો નાસિક જિલ્લામાં આવેલો હરિહર કિલ્લો જોવા જવું જોઈએ. આ જગ્યા ફક્ત તેના રોમાંચક ટ્રેકિંગ અનુભવ માટે જ નહીં, પરંતુ અનોખા સ્થાપત્ય અને ઊંડી શ્રદ્ધાનું પણ પ્રતીક છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, અહીં હાઈકિંગ કરવું એક એડવેન્ચર પ્રવૃત્તિ બની જાય છે, પરંતુ અત્યંત સાવધાની રાખવી જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ કિલ્લો લગભગ ઊભી ખડકોમાં કાપેલી સીડીઓ અને તેના ઐતિહાસિક મહત્ત્વ માટે પણ પ્રખ્યાત છે. લગભગ 3,600 ફૂટની ઊંચાઈ પર સ્થિત, આ કિલ્લો યાદવ વંશ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. તેનું નામ 'હરિહર' ભગવાન વિષ્ણુ અને શિવની એકતાનું પ્રતીક છે. ‘હરિ’ એટલે ભગવાન વિષ્ણુ અને ‘હર’ એટલે ભગવાન શિવ. હરિહર કિલ્લો આ બે દેવતાઓના જોડાણનું પ્રતીક છે, જે સર્જન અને વિનાશ, સંરક્ષણ અને પરિવર્તન વચ્ચેના સંતુલનને પ્રતિબિંબિત કરે છે. આ આધ્યાત્મિક અર્થને લીધે આ જગ્યા એક ટ્રેકિંગ સ્થળ કરતાં વધુ બની જાય છે. ચોમાસામાં આ જગ્યાની પ્રાકૃતિક સુંદરતા વધુ નીખરી ઉઠે છે.
ADVERTISEMENT
800 વર્ષ જૂની સીધી ઉભી સીડીઓ
ADVERTISEMENT
હરિહર કિલ્લાની સૌથી ખાસ વિશેષતા એ છે કે તેની સીડીઓ લગભગ 80 ડિગ્રી ઢાળવાળી ખડકોમાં કાપવામાં આવી છે. આ સીડીઓ 13મી સદીમાં યાદવ વંશના સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી અને હજુ પણ ખૂબ જ મજબૂત છે. આ સીડીઓ ફક્ત સુંદરતા અથવા સાહસ માટે જ નહીં, પરંતુ કિલ્લાને હુમલાથી બચાવવા માટે બનાવવામાં આવી હતી. અહીં ઢાળવાળી સીડીઓ પર ચઢવું સૌથી અઘરું છે.

ADVERTISEMENT
ચોમાસામાં ચઢાણ બની જાય છે ખતરનાક
આ ઢાળવાળી સીડીઓ પરથી ચઢીને હરિહર કિલ્લો આવે એટલે પર્વતનું શિખર સપાટ દેખાય છે જ્યાંથી સહ્યાદ્રી પર્વતમાળાઓનું મનોહર દૃશ્ય દેખાય છે. પરંતુ ચોમાસા દરમિયાન, આ જગ્યા લપસણી બની જાય છે. એટલા માટે જ અહીં જોખમ વધી જાય છે. નાસિકથી લગભગ 40 કિમી દૂર આવેલા હરિહર કિલ્લા સુધી પહોંચવાના બે રસ્તા છે - એક નિર્ગુડપાડા ગામ છે, જે પ્રમાણમાં સરળ છે, અને બીજો હર્ષેવાડીથી છે જે થોડો મુશ્કેલ છે પરંતુ અહીં ભીડ ઓછી હોય છે. આ કિલ્લો ફક્ત ઢાળવાળી સીડીઓ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પૂરતો જ સીમિત નથી. આ કિલ્લો ઇતિહાસ, હિંમત અને કારીગરીનું જીવંત મિશ્રણ છે. અહીંના દરેક પથ્થરે સદીઓથી રાજવંશો, યુદ્ધો, વરસાદ અને હાલના ટ્રેકર્સ જોયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચોમાસામાં ટ્રેકિંગ, કેમ્પિંગ કરવું હોય, તો પહોંચી જાવ અહીં, 3 દિવસમાં થશે સ્વર્ગનો અનુભવ
સાવધાની રાખવી છે જરૂરી
હરિહર કિલ્લો એક જોખમી ટ્રેક છે જેમાં સીધું ચઢાણ, લપસણો રસ્તો અને હવામાનની અણધારી પરિસ્થિતિઓને સ્થિતિ ખતરનાક બની શકે છે. એટલે જ ખાસ કરીને ચોમાસા દરમિયાન ટ્રેકર્સને યોગ્ય ટ્રેકિંગ ગિયરનો ઉપયોગ કરવાની, ભીડ ટાળવાની અને પ્રશિક્ષિત માર્ગદર્શક સાથે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે. સલામતીને પ્રાથમિકતા આપવી અત્યંત મહત્વપૂર્ણ છે. હવેની વખતે જ્યારે તમે ઇન્ટરનેટ પર તેના ફોટો જુઓ, ત્યારે જાણી લેજો કે તે માત્ર એક ટ્રેકિંગ સ્થળ નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે - જીવનમાં એકવાર અહીંનો અનુભવ જરૂર કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.