બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / villegaers demand to fill Narmada Nir in Mehsana Chimnabai Lake
Last Updated: 11:49 PM, 22 May 2022
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના ખેરાલું અને સતલાસણ તાલુકાના 30 ગામના લોકોને પીવાનું અને સિચાઈના પાણીની પળોઝણ છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગામના લોકોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. ધરોઈ યોજનાની નજીક આવેલા આ બંને તાલુકાઓમાં લોકો પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની એકપણ સમસ્યાનું સમાધાન કરવામાં ન આવ્યું હોવાની રાવ કરવામાં આવી રહી છે. જેને લઈને હવે ચૂંટણી પહેલા બંને તાલુકાના 30 ગામના લોકો લડી લેવાના મુડમાં છે.
ADVERTISEMENT
ચીમનાબાઈ સરોવરને નર્મદાના નીરથી ભરવા માંગ
બંને તાલુકાના લોકોની આ રેલી સરકારને ચૂંટણી પહેલા જગાડવાનો પ્રયાસ છે. આ તકે લોકોએ જણાવ્યુ હતું કે અમારો અવાજ સાંભળો નહીંતર હવે ચૂંટણીને વાર નથી અને ચૂંટણી આવશે ત્યારે તમારો અવાજ કોઈ નહીં સાંભળે. ગામડાઓમાં મત માટે ઉતરવું મુશ્કેલ બની જશે.સરકાર દ્વારા ચીમનાબાઈ સરોવરને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી લોકોએ માંગ ઊઠાવી હતી. આ ઉપરાંત સરકારને જગાડવા માટે ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
સરકારના વાયદાઓ આજ સુધી પુરા થયા નથી
મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. જેના કારણે જળાશયો છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ રીતે ભરાયા જ નથી અને ઉનાળો આવતા જ અહીં પાણીને લઈને લોકોની સ્થિતિ કફોળી બની જાય છે. જ્યારે સરકારના વાયદાઓ આજ સુધી પુરા થયા નથી.તેવા ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, લોકોના આ આક્રોશને ઠારવા માટે સરકાર પ્રયાસો કરશે કે કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.