બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / villegaers demand to fill Narmada Nir in Mehsana Chimnabai Lake
Kishor
Last Updated: 11:49 PM, 22 May 2022
મહેસાણા જિલ્લાના ખેરાલું અને સતલાસણ તાલુકાના 30 ગામના લોકોને પીવાનું અને સિચાઈના પાણીની પળોઝણ છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગામના લોકોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. ધરોઈ યોજનાની નજીક આવેલા આ બંને તાલુકાઓમાં લોકો પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની એકપણ સમસ્યાનું સમાધાન કરવામાં ન આવ્યું હોવાની રાવ કરવામાં આવી રહી છે. જેને લઈને હવે ચૂંટણી પહેલા બંને તાલુકાના 30 ગામના લોકો લડી લેવાના મુડમાં છે.
ચીમનાબાઈ સરોવરને નર્મદાના નીરથી ભરવા માંગ
બંને તાલુકાના લોકોની આ રેલી સરકારને ચૂંટણી પહેલા જગાડવાનો પ્રયાસ છે. આ તકે લોકોએ જણાવ્યુ હતું કે અમારો અવાજ સાંભળો નહીંતર હવે ચૂંટણીને વાર નથી અને ચૂંટણી આવશે ત્યારે તમારો અવાજ કોઈ નહીં સાંભળે. ગામડાઓમાં મત માટે ઉતરવું મુશ્કેલ બની જશે.સરકાર દ્વારા ચીમનાબાઈ સરોવરને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી લોકોએ માંગ ઊઠાવી હતી. આ ઉપરાંત સરકારને જગાડવા માટે ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
સરકારના વાયદાઓ આજ સુધી પુરા થયા નથી
મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. જેના કારણે જળાશયો છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ રીતે ભરાયા જ નથી અને ઉનાળો આવતા જ અહીં પાણીને લઈને લોકોની સ્થિતિ કફોળી બની જાય છે. જ્યારે સરકારના વાયદાઓ આજ સુધી પુરા થયા નથી.તેવા ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, લોકોના આ આક્રોશને ઠારવા માટે સરકાર પ્રયાસો કરશે કે કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024