18 ઓકટોબરનાં રોજ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેથી આ ત્રણ રાશિના જાતકોની કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનશે. જાણો કઈ કઈ છે આ રાશિઓ
શુક્ર 18 ઓક્ટોબરના રોજ કરશે તુલામાં પ્રવેશ
કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોને થશે ફાયદો
થશે અઢળક ધનલાભ
શુક્ર ગ્રહ 18 ઓકટોબરનાં રોજ પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્રનું ગોચર 3 રાશિના જાતકોની કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવશે, જે તેમની માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ જાતકોને ધનલાભ થશે, નવી નોકરી પણ મળી શકે છે. લવ લાઈફ અને મેરિડ લાઈફમાં પ્રેમ વધશે. જીવનમાં સુખ - સમૃદ્ધિ આવશે. આવો જાણીએ કે કઈ છે આ ત્રણ રાશિઓ.
કન્યા રાશિ
શુક્ર ગોચરથી બની રહેલ ત્રિકોણ રાજયોગ કન્યા રાશિના જાતકોને ધનલાભ અપાવશે. નોકરિયાતોની સેલરી વધી શકે છે. વેપારીઓને અટકેલાં પૈસા મળી જશે. મોટો ઓર્ડર મળી શકે છે. નવું ઘર - ગાડી ખરીદી શકો છો. ઘરમાં ખુશીઓ આવશે. પાર્ટનર સાથે સંબંધો સારા થશે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ઓફિસમાં બોસ અને સહકર્મચારીઓ તમારાથી ખુશ રહેશે.
મકર રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી મળશે. જે લોકો નવી નોકરીની તલાશમાં છે, તેમની તલાશ પૂરી થશે. બિઝનેસમાં મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. કુલ મળીને આ સમય કરિયર માટે શુભ રહેશે. ધન લાભ થશે. મહેનતનું ફળ મળશે. સંબંધોમાં મીઠાશ આવશે. સિંગલ જાતકોને પાર્ટનર મળી શકે છે.
કુંભ રાશિ
શુક્રનું ગોચર કુંભ રાશિના જાતકો માટે શુભ રહેશે. આ રાશિનાં જાતકોને કિસ્મતનો સાથ મળશે. યાત્રા પર પણ જાતકો જઈ શકે છે, જે શુભ ફળ અપાવશે. રોકાણથી લાભ થશે. ઊંચું પદ, પૈસા, સન્માન મળી શકે છે. આ સમયે કરવામાં આવેલ મહેનત ભવિષ્યમાં લાભ અપાવશે. નોકરી - વેપાર માટે આ સમય સારો રહેશે.