બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ધર્મ / vastu tips images Lucky Birds to get success and good luck in life right direction according to vastu shastra
Manisha Jogi
Last Updated: 09:20 AM, 24 June 2023
અનેક વાર મહેનત કરવા છતાં સફળતા પ્રાપ્ત થતી નથી, તે માટે વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. અનેકવાર અજાણતા એવું કામ કરી બેસીએ છીએ, જેના કારણે ઘરનું વાસ્તુ ખરાબ થઈ જાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જો તમે પણ ઈચ્છો છો કે, તમને ભાગ્યનો સાથ મળે, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ પાંચ પક્ષીઓના ફોટોઝ જરૂરથી લગાવવા જોઈએ.
ગીધ- વેસ્ટર્ન વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમામ કામમાં સફળતા મેળવવા માટે લિવિંગ રૂમમાં ગીધનો ફોટો લગાવી શકાય છે. હિંદુ ધર્મમાં ગીધને ગરુડ પણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં, ફેંગશુઈ અને ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્રમાં પણ ગરુડને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ફિનીક્સને અગ્નિનું પ્રતીક માનવામાં આવે છે. ગીધનો ફોટો લગાવવા માટે દક્ષિણ પૂર્વી દીવાલ અથવા અગ્નેય ખૂણાને શુભ માનવામાં આવે છે.
લવબર્ડ્સ- વાસ્તુ શાસ્ત્રમાં લવ બર્ડ્સને શુભ અને લકી માનવામાં આવે છે. વૈવાહિક જીવન સુખમયી રીતે પસાર થાય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે ઘરમાં લવ બર્ડ્સનો ફોટો લાવવો અને ઉત્તર દિશામાં આ ફોટો લગાવવો. ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થશે.
મોર- વાસ્તુશાસ્ત્રમાં મોરનું વિશેષ મહત્ત્વ છે, જે શુભતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં કલેશનો માહોલ રહેતો હોય તો ઘરમાં મોરનો ફોટો લગાવી શકો છો, જેથી ઘરનો વાસ્તુદોષ દૂર થશે. પૂર્વીય દીવાલ મોરનો ફોટો લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
નીલકંઠ- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક ઊર્જા વધી ગઈ હોય તો ઘરમાં તણાવપૂર્ણ માહોલ બની શકે છે. ઘરની પૂર્વ દિશા અથવા ઉત્તર-પૂર્વ દિશા (અગ્નેય ખૂણો) માં નીલકંઠનો ફોટો લગાવી શકાય છે. આ પ્રકારે કરવાથી તણાવ દૂર થશે તથા નકારાત્મક ઊર્જા સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થશે.
હંસ- જો તમે પણ ભાગ્યનો સાથ મેળવવા માંગો છો, તો ઘરના લિવિંગ રૂમમાં હંસનો ફોટો લગાવી શકો છો. પૂર્વીય દીવાલ પર આ ફોટો લગાવવાથી લાભ થશે, આ પ્રકારે કરવાથી ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા